ખેડૂતોને રાશન અને પાણી સાથે આર્થિક સહાય આપવા આમ આદમી પાર્ટીએ સરકાર પાસે કરી માંગ.10 સપ્ટેમ્બરથી નડાબેટથી સોમનાથ યાત્રાનું પણ એલાન
ખેડૂતો મુદ્દે આપ પાર્ટી કાઢશે યાત્રા
પાણી-રાશનની વ્યવસ્થા કરવા માંગ
ખેડૂતોને હેક્ટર દીઠ ચૂકવો સહાય -સાગર રબારી
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અપૂરતો વરસાદ અને મૂરઝાતી મોલાત વચ્ચે સરકારની સંવેદના તંદ્રાધીન હોવાનો આરોપ લગાવી આમ આદમી પાર્ટીએ ખેડૂતો,પશુપાલકો અને ખેતમજૂરોની વહારે આવવા સરકાર પાસે માંગ કરી છે. ચોમાસું સીઝન શરુ થયા પૂર્વે જ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં વિનાશ વેર્યો.ખેતીની દશા બેસી ગઈ.એવામાં આખો શ્રાવણ વીતી ગયો છ્તા વરસાદનું નામ-ઓ-નિશાન નથી. પરિણામે,મોંઘા ભાવના ખાતર-બિયારણથી ખેતીમાં જોતરાયેલા ખેડૂત,ખેતમજૂરની સ્થિતિ માથે હાથ દઈ રડવા જેવી થઇ ગઈ છે.આપ નેતા સાગર રબારીએ કહ્યું કે,ગામોમાં ખેડૂત, પશુપાલક, ખેતમજુરની હાલત ચિંતાજનક છે. ત્યારે ખેડૂતોના ખેતરે જઇ સર્વે કરવામાં આવે. અને ખેડૂતોને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવામાં આવે. રકમના ભાવવધારાને ધ્યાને રાખી સરકાર ભાવ વધારો કરે. આમ આદમી પાર્ટીએ માગ કરી કે SDRFના ધોરણે સર્વે કરી વળતર ચૂકવવામાં આવે. અને ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિશ્ચિત કરવામાં આવે. સાથે જ રાશનકાર્ડ વિનાના પરિવારને પણ પૂરતું અનાજ આપવામાં આવે.
શી માંગણી છે સરકાર પાસે ?
પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે અને જરૂરિયાત મંદો માટે તરત જ રાહતકામો શરૂ કરવા જોઈએ.આવી માંગણી સાથે આમ આદમી પાર્ટી બુધવારે અમદાવાદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે.સાથે બાઈક રેલી પણ આયોજિત કરી છે. ખેડૂતો,ખેતમજૂરો પ્રત્યેની સરકારની સંવેદના સુશુપ્તાવ્સ્થામાં હોઈ,તેને આંદોલિત કરવા આમ આદમી પાર્ટી ૧૦ સપ્ટેમ્બરથી એક યાત્રા આયોજિત કરશે.ઉતર ગુજરાતના નડાબેટથી શરુ થનારી આ યાત્રાની પૂર્ણાહૂતિ સોમનાથમાં થશે.
કોંગ્રેસની પણ આ જ માંગ.
હજુ બે-ત્રણ દિવસ પૂર્વે જ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વરસાદ ખેંચાયાની ભીતિ વ્યક્ત કરવા સાથે ખેડૂતો પ્રત્યે સરકાર વિશેષ સહાનુભૂતિ દાખવે તેવી માંગ કરી હતી. ગુજરાતના ડેમમાં અપૂરતો પાણીનો જથ્થો,પરિણામે સિંચાઈના પાણીનું મળવાથી ઉભી થનારી પરિસ્થિતિનું અવલોકન કરવા સાથે ખેડૂતોને સહાયતા આપવા પણ માંગની કરી હતી.