પંજાબમાં મુખ્યમંત્રી તરીકે ભગવંત માનની જાહેરાત કરવામાં આવી ત્યારે જાણીએ ભગવંત માનની કોમેડી શૉથી લઇને રાજનીતી સુધીની સફર
આ વખતે પંજાબમાં ભગવંત માનના માથે મુખ્યમંત્રી પદની પાઘડી બંધાય તે નક્કી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતથી જીત મેળવી છે. ત્યારે ભગવંત માને પણ પોતાની ધુરી વિધાનસભા સીટ પર જીત ફિક્સ કરી લીધી છે. તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના દલબીર સિંગ ગોલ્ડી ચૂંટણી હારી ગયા છે.મહત્વનું છે કે કોંગ્રેસના દલબીર સિંહ 2017ની ચૂંટણી જીત્યા હતા. અગાઉ 2012માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અરવિંદ ખન્ના અહીંથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારે આવો જાણીએ કેવી કોમેડી શોથી લઇને રાજનેતા સુધીની ભગવંત માનની સફર
કોણ છે ભગવંત માન ?
ભગવંત માનનો જન્મ 17 ઓક્ટોબર 1973ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. તેમણે પંજાબના સંગરુર સ્થિત એસયુએસ કોલેજમાંથી બીકોમ કર્યું છે. વાણિજ્ય ક્ષેત્રમાં સ્નાતક થયા પછી, માન નોકરી અથવા વ્યવસાયથી દૂર રહ્યા હતા કારણ કે તે કંઈક અલગ કરવા માંગતા હતા.ભગવંત માન હાલમાં આમ આદમી પાર્ટીના સાંસદ છે. તેઓ બીજી વખત લોકસભામાં પહોંચ્યા છે. તેઓ સંગરુર સીટથી સાંસદ છે. ધુરી વિધાનસભા બેઠક આ વિસ્તારમાં આવે છે. આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદનો ચહેરો ભગવંત માન પંજાબની ધુરી વિધાનસભાથી 38000થી વધુ મતોથી જીત્યા છે.
ભગવંત માન 2014થી લોકસભાના સભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. . તેમનું ઉપનામ જુગ્નુ છે. તેઓ એક પ્રસિદ્ધ કૉમેડિયન પણ રહી ચૂક્યા છે અને એક રાજનેતા તરીકે પણ કામ કર્યુ. તેઓએ ધ કપિલ શર્મા અને ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના કોમેડી શોમાં પણ ભાગ લીઘો હતો. તેમણે ઈન્દ્રપ્રીત કૌર સાથે લગ્ન કર્યા, પછી 2015માં બંને અલગ થઈ ગયા. તેઓના બે બાળકો પણ છે.
પહેલેથી જ નથી AAP સાથે જોડાયેલા નથી
ભગવંત માનની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, માન શરૂઆતથી જ આમ આદમી પાર્ટી (AAP)સાથે જોડાયેલા નથી. તેઓ મનપ્રીત સિંહ બાદલની પાર્ટી પંજાબ પીપલ્સ પાર્ટી સાથે પોતાની રાજકીય ઇનિંગની શરુઆત કરી હતી. તેમણે વર્ષ 2012માં લેહરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ પછી મનપ્રીત કોંગ્રેસમાં અને ભગવંત માન આમ આદમી પાર્ટીમાં જોડાયા. 2014માં ભગવંત માન આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આમ આદમી પાર્ટીની ટિકિટ પર સંગરુર લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો. અહીં તેઓ 2 લાખથી વધુ મતોથી જીત્યા હતા.
આજે ચૂંટણીના પરિણામ દિવસે સૌથી પહેલા ભગવંત માન ગુરુદ્વારા પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. તેઓ સંગરુરના ગુરુદ્વારા ગુરસાગર મસ્તુઆના પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ 'આપ'ને સંપૂર્ણ બહુમતી મેળવતા જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભગવંત માન સાથેની એક તસવીર શેર કરી હતી, જેમાં બંને વિજયનું નિશાન દેખાડી રહ્યા છે.