કોંગ્રેસની હાર કોંગ્રેસનો જનતા સાથેનો સંપર્ક ખતમ, કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચાર, ખાટલા બેઠકો કરી પણ કામ ન આવી હોવાનું સામે આવ્યું
ગુજરાતની કોંગ્રેસની હાર માટે અનેક જવાબદાર કારણો
કોંગ્રેસનો જનતા સાથેનો સંપર્ક ખતમ થઈ ચુક્યો ?
કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચાર, ખાટલા બેઠકો કરી પણ કામ ન આવી
સત્તા વિરોધી મુદ્દા કારગત રીતે કોંગ્રેસ ન ઉઠાવી શકી
જ્યારે સત્તા વિરોધી મુદ્દો ઉભો થાય ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સિવાય કશુ ન કર્યુ
કોંગ્રેસે મુખ્યમંત્રી માટે OBC ચહેરો જાહેર કરવાની વાત કરી જે નિષ્ફળ ગઈ
કોંગ્રેસે AAP વોટ તોડશે તેને ડામવા કોઈ ચોક્કસ રણનીતિ ન બનાવી
ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપની ભારે જીત તો થઈ પણ સાથે સાથે અનેક નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ સાથે કોંગ્રેસની હારના કેટલાક કારણો પણ સામે આવ્યા છે. જો ભાજપની જીતની વાત કરવામાં આવે તો તેમાં, મોદી મેજીક, નો રિપીટ થીયરી, હાર્દિક પટેલ-અલ્પેશ ઠાકોર યુવા ચહેરા ભાજપને કામે લાગ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ કોંગ્રેસની હાર કોંગ્રેસનો જનતા સાથેનો સંપર્ક ખતમ, કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચાર, ખાટલા બેઠકો કરી પણ કામ ન આવી હોવાનું સામે આવ્યું છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ધ્યાન ન આપ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર હતી. જોકે આ વખતે કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં કઈ ખાસ ધ્યાન ના આપ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં જે રીતે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને આ ચૂંટણીમાં માત્ર 2 વાર જ એટલે કે માત્ર દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં જ સભા કરી હતી.
કોંગ્રેસનું હાઈ કમાન્ડ માત્ર ભારત જોડો યાત્રા પર ફોકસ
આ તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડનું સંપૂર્ણ ફોકસ મોટા ભાગે ભારત જોડો યાત્રા પર જ હતું. જેને લઈ ગુજરાત માં ચૂંટણી હોવા છતાં પણ રાહુલ ગાંધી માત્ર 2 વાર જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા.
2017માં ગુજરાતે 77 બેઠકો આપી પણ કોંગ્રેસ મજબૂત વિપક્ષ બની ન શક્યું
મહત્વનું છે કે, વર્ષ 2017માં ગુજરાતમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. તેમ છતાં પણ અનેક મુદ્દા ઉપર કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યું હતું. કોંગ્રસને 77 બેઠકો છતાં મજબૂત વિપક્ષ ન બની શકતા આ તેમની હારનું કારણ ગણી શકાય છે.
નબળું સંગઠન અને અંદરોઅંદર વિખવાદ નડ્યો
ગુજરાત કોંગ્રેસ અગાઉથી જ આંતરિક વિખવાદને કારણે ચર્ચામાં છે. તેવામાં વિધાનસભા ચૂંટણી ટાણે ટિકિટ વહેંચણીમાં પણ અનેક આક્ષેપો થાય હતા. આ સાથે વિધાનસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.
આ તરફ ચૂંટણી પરિણામો સાબિત કરી રહ્યા છે કે, કોંગ્રેસનો જનતા સાથેનો સંપર્ક ખતમ થઈ ચુક્યો હોવાની સ્થિતિ બની છે. કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચાર, ખાટલા બેઠકો કરી પણ કામ ન આવી. આ સાથે સત્તા વિરોધી મુદ્દા કારગત રીતે કોંગ્રેસ ન ઉઠાવી શકી. જ્યારે સત્તા વિરોધી મુદ્દો ઉભો થાય ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સિવાય કશુ ન કર્યુ હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે કોંગ્રેસની યાત્રાઓ પણ કામ ન આવી. તો વળી મોરબી પુલ દુર્ઘટના જેવી ગંભીર મુદ્દા સમયે પણ કોંગ્રેસ નિરસ રહી હતી. આ સાથે એકવાર વિરોધ અને પછી કાર્યકરોની અટકાયત કરાવીને કોંગ્રેસે સંતોષ માની લીધો હતી.
આ સાથે વિધાનસભામાં પણ કોંગ્રેસે વોકઆઉટ સિવાય કશુ ન કર્યુ હોવાનું કોંગ્રેસના કાર્યાલયે પણ મોટેભાગે અવરજવર ઓછી જોવા મળી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ સાથે વરિષ્ઠ નેતાઓ ચૂંટણીની રણનીતિ ઘડી ન શક્યા તો કોંગ્રેસે મુખ્યમંત્રી માટે OBC ચહેરો જાહેર કરવાની વાત કરી જે નિષ્ફળ ગઈ છે. આ સાથે કોંગ્રેસે AAP વોટ તોડશે તેને ડામવા કોઈ ચોક્કસ રણનીતિ ન બનાવી.