આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું નિવેદન; અમે ચૂંટણી હાર્યા છીએ મનોબળ નહિ અને અમે ભૂલો અને ખામીએ સુધારીશું
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું નિવેદન
આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે:ગોપાલ ઈટાલિયા
અમે ચૂંટણી હાર્યા છીએ મનોબળ નહિ: ગોપાલ ઈટાલિયા
ગુજરાત ટ્રેન્ડમાં ભાજપ ફરી એકવાર પૂર્ણ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. એગ્ઝીટ પોલના આંકડાઓ મુજબ ભાજપ જોરદાર રીત જીત મેળવી રહ્યું છે. કેટલીક બેઠકોના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપનો વિજય થયો છે તેમજ 157 બેઠકો પર ભાજપ આગળ છે. તેમજ 16 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 5 બેઠકો પર આગળ ચાલી રહી છે તેમજ અન્ય 4 બેઠકો પર કબજો મેળવી તેવી શક્યતાઓ છે. આ જોતા લાગી રહ્યું છે કોંગ્રેસ અને AAP ગાજ્યાં બહુ પણ જનતાની નસ પકડી શક્યા નથી અને જેના કારણે મત મેળવવામાં નિષ્ળફ સાબિત થયો હોય તેવું આજના આંકડા બતાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ હાર્યા છે, તેમણે પત્રકાર પરિષદ યોજી છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા નિવેદન
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજી છે. તેમણે જણાવ્યું કે, આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે, ભાજપ અને કોંગ્રેસ કહેતા ત્રીજો મોરચો નહીં ચાલે તેમણે કહ્યું કે, આપ હવેથી રાષ્ટ્રીય પાર્ટી બની છે તેમણે જણાવ્યું કે, આપને 40 લાખ જેટલા મતો મળ્યા છે અને 5 બેઠક ઉપર આપના ઉમેદવાર જીત્યા છે તેમણે કહ્યું કે, 2017માં આપને 28 હજાર મતો મળ્યા હતા જ્યારે આ ચૂંટણીમાં આપને 40 લાખ મતો મળ્યા છે તેમણે જણાવ્યું કે, અમે ચુકાદો સ્વીકારીએ છીએ અને અમે હતાસ નથી થયા એક પગથિયું ઉપર ચડ્યા છીએ તેમણે ઉમેર્યું કે, અમે ચૂંટણી હાર્યા છીએ મનોબળ નહિ અને અમે ભૂલો અને ખામીએ સુધારીશું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન
ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ગુજરાતની જનતાએ પીએમ નરેન્દ્ર મોદીમાં ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટીને મળેલી જંગી જીત પીએમ મોદીની પ્રભાવશાળી છબીનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આપણે બધાએ લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવાનું છે. ભાજપને રેકોર્ડ મતોથી જીતાડીને લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અન્ય કોઈ પક્ષ પર વિશ્વાસ કરતા નથી. પરંતુ ભાજપના કાર્યકરોએ મેદાનમાં જઈને લોકોના હિત માટે કામ કરવું પડશે. તેમણે લોકોની સમસ્યાઓને સમજીને તેના ઉકેલ માટે કામ કરવું પડશે.