AAPએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને સાથે ભાજપના નેતા રવિ કિશન, મનોજ તિવારી અને રમેશ બિધૂડી સહિત કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેને કાયદાકીય નોટિસ મોકલી છે. આ નોટિસ ખેડૂત આંદોલન પર આપવામાં આવેલા નિવેદનોને લઈને મોકલવામાં આવી છે. ચંડીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા રાઘવ ચઢ્ઢાએ આ વાતની જાણકારી આપી હતી.
AAP એ કંગના રનૌત સહિત ભાજપના નેતાઓે મોકલી કાયદાકીય નોટિસ
ખેડૂત આંદોલન પર બયાનબાજીનો લગાવ્યો આરોપ
AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કરી જાહેરાત
AAPએ મોકલી નોટિસ
રાધવ ચઢ્ઢાએ કહ્યું કે AAPએ દરેક ખેડૂતોની કાયદાકીય મદદ કરી રહી છે જે ભાજપના નેતાઓ પર કરાયેલી અપમાનજનક ટિપ્પણીની વિરુદ્ધ કોર્ટની મદદ લઈ રહ્યા છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે ભાજપના નેતાઓની વિરુદ્ધણાં તેમની પર કરાયેલી અપમાનજનક ટિપ્પણી અને અભદ્ર ટિપ્પણી માટે કાયદાકીય કાર્યવાહી કરાશે. જે નેતાઓને કાયદાકીય નોટિસ મોકલાઈ છે તેમાં ગોરખપુરથી સાંસદ રવિ કિશન, મનોજ તિવારી અને રમેશ બિધૂડી સહિત કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેનું નામ સામેલ છે.
અભિનેત્રી કંગના રનૌતને પણ મળી નોટિસ
આ સિવાય બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ નોટિસ મોકલવામાં આવી છે. કંગનાએ ખેડૂત આંદોલન પર અનેક અવસરે ટિપ્પણી કરી છે. તેમનું સ્ટેન્ડ સતત સરકારની તરફ નરમ અને પ્રદર્શનના વિરોધમાં જોવા મળ્યું છે. જ્યાં ખેડૂતોએ કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી છે ત્યાં કંગનાએ આ કાયદાના વખાણ કરતાં તેને દેશ માટે જરૂરી ગણાવ્યો છે.
આપ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે ભાજપના અનેક મોટા નેતાઓ વારેઘડી ખેડૂતોને દેશ વિરોધી અને પાકિસ્તાન અને ચીન સમર્થક ગમઆવી રહ્યા છે. આ સાથે તેમને ખાલિસ્તાની અને ગુંડા પમ કહેવાઈ રહ્યા છે. ભાજપે ખેડૂતોને બદનામ કરવા તેમની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી છે.