કાયમ રાજ્યસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોના રાજીનામાંની ઋતુ આવે છે ત્યારે ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરના ઘોઘાગેટ ચોકમાં સ્મશાનયાત્રા યોજી વેચાઈ જતા નેતાઓની સ્મશાનયાત્રા કાઢી વિરોધ કર્યો, મંજૂરી વગર કાર્યક્રમ યોજતા આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
આમ આદમી પાર્ટીના કાર્યકરોની ભાવનગરમાં અટકાયત
ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટા સામે વિરોધ
નેતાઓની સ્મશાનયાત્રા કાઢીને કર્યો વિરોધ
રાજ્યસભા ઈલેક્શન વખતે કાયમ કોંગ્રેસ અને ભાજપ દ્ર્વારા ધારાસભ્યોના હોર્ષટ્રેડીંગની ઘટનાઓ સામે આવે છે ત્યારે હવે ભાવનગરમાં એક અનોખી ઘટના સામે આવી છે.
ભાજપ-કોંગ્રેસ વેચાણની ગંદી રાજનીતિનો વિરોધ અનોખી રીતે વિરોધ કર્યો છે. ભાજપના અને કોંગ્રેસના ધારાસભ્યો વેચાઈ રહ્યા છે ત્યારે આપે તેનો વિરોધ કર્યો હતો. વેચાઈ જતા નેતાઓની સ્મશાનયાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસે કરી અટકાયત
મંજૂરી વગર કાર્યક્રમ આપતા આપ ના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ઘોઘાગેટ પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે.