આણંદ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPની ત્રિરંગા યાત્રા પહેલાં AAPમાં મોટું ગાબડું પડ્યું છે.
આણંદ જિલ્લામાં AAPમાંથી 150 કાર્યકરોના સામુહિક રાજીનામાં
આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો
AAPની ત્રિરંગા યાત્રા પહેલાં AAPમાં મોટું ગાબડું
આણંદ જિલ્લામાં AAPમાંથી 150 કાર્યકર્તાઓના સામુહિક રાજીનામાંથી મોટી ઉથલપાથલ સર્જાઇ ગઇ છે. આણંદ જિલ્લા AAP પ્રમુખ સહિત હોદ્દેદારોએ રાજીનામાં આપતા ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રમુખ દિપાલી ઉપાધ્યાય અને રવિ પટેલ સહિત હોદેદારોએ રાજીનામાં આપી દીધાં છે. AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની વર્તણૂંકથી કાર્યકરો નારાજ થઇ ગયા છે. કાર્યકરો સાથેની વર્તણૂંકને લઈને કાર્યકરોએ રાજીનામાં આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલને પત્ર લખીને સૌએ રાજીનામાં આપ્યાં છે.
આણંદમાં 14મીએ તિરંગા યાત્રા યોજીને આંદોલન શરૂ કરાશે
તમને જણાવી દઇએ કે, રાજીનામું આપનારા કાર્યકરો ચંપલ ફેંકનાર સામે 'ચંપલ જડો કાર્યક્રમ' આપશે અને પાર્ટીના ચોક્કસ નેતાઓનો ઉગ્ર વિરોધ કરશે. આણંદમાં 14મીએ તિરંગા યાત્રા યોજીને આંદોલન શરૂ કરાશે. પ્રદેશના નેતાઓના કારણે રાજ્યમાં અનેક કાર્યકરો આપ છોડી રહ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. ચરોતરમાંથી આપ સભ્યપદ છોડો આંદોલન પણ શરૂ કરવામાં આવશે.
આવતી કાલથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરાશે
આણંદ જિલ્લાનાં આમ આદમી પાર્ટીના પ્રમુખપદેથી અગાઉ રાજીનામું આપનાર દિપાલી ઉપાધ્યાયનાં નેતૃત્વમાં 150થી વધુ કાર્યકરોએ આજે પાર્ટીના સભ્યપદેથી સામુહિક રાજીનામાં આપી દીધા છે. તદુપરાંત પ્રદેશના નેતાઓ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો પણ લગાવ્યાં હતાં. નોંધનીય છે કે, આણંદ જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રાજીનામાં આપનારા AAP નાં કાર્યકરો દ્વારા આવતી કાલથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે. જે સોમવારે આણંદમાં ન્યાય યાત્રા આવશે. જેમાં AAPમાંથી તમામ કાર્યકરો પ્રાથમિક સભ્યપદ પરથી મુક્ત થાય તે માટે આંદોલન શરૂ કરાશે.