કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં "આપ નિર્ભર" કે "આત્મનિર્ભર" માંથી એકને પસંદ કરવા કહ્યું હતું.
એમસીડીની ચૂંટણીને લઈને અમિત શાહનો આપ પર પ્રહાર
"આપ નિર્ભર" કે "આત્મનિર્ભર" માંથી એકને પસંદ કરવા કહ્યું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (આપ) ઇચ્છે છે કે દિલ્હી "આપ નિર્ભર" રહે, જ્યારે ભાજપ ઇચ્છે છે કે રાષ્ટ્રીય રાજધાની "આત્મનિર્ભર" બને.
આપ પર સાધ્યા નિશાન
તેમણે લોકોને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ની ચૂંટણીમાં બંનેમાંથી એકની પસંદગી કરવા હાકલ કરી હતી. અહીં તહકહંડમાં વેસ્ટ-ટુ-પાવર પ્લાન્ટના ઉદ્ઘાટન માટેના એક કાર્યક્રમને સંબોધતા શાહે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ સરકારે અગાઉની ત્રણ નાગરિક સંસ્થાઓ સાથે સાવકી માતા જેવો વ્યવહાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે કેજરીવાલ સરકાર પર આ ત્રણેય સંસ્થાઓનું 40,000 કરોડ રૂપિયાનું દેવું છે.
લોકોને આત્મનિર્ભર બનવા કહ્યું
હવે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનોને એકમાં ભેળવી દેવામાં આવ્યા છે. "તેઓ (કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી) ઇચ્છે છે કે દિલ્હી 'આપ' આશ્રિત બને. અમે ઇચ્છીએ છીએ કે તે આત્મનિર્ભર બને. આગામી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, લોકોએ પસંદ કરવાનું રહેશે કે તેઓ 'આપ' નિર્ભર બનવા માંગે છે કે આત્મનિર્ભર. ''
दिल्ली नगर निगम द्वारा तेहखण्ड में बनाए गए कूड़े से बिजली बनाने वाले ‘Waste To Energy’ प्लांट के शुभारंभ कार्यक्रम से लाइव… https://t.co/9ricRaBpn2
આપ સરકાર જાહેરાત પાછળ ખર્ચો કરે છે: શાહ
તેમણે આપ સરકાર પર જાહેરાત પાછળ મોટી રકમ ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો. શાહે દાવો કર્યો હતો કે કેજરીવાલ માને છે કે જાહેરાતથી વિકાસ થાય છે; પણ તેનો "ભ્રમ" માત્ર પાંચથી સાત વર્ષ સુધી જ કામ કરી શકે છે. '' "લોકોએ 'જાહેરાતની રાજનીતિ' અને 'વિકાસની રાજનીતિ' વચ્ચે પસંદગી કરવી પડશે. ''
ઉલ્લેખનીય છે કે એમસીડી વોર્ડનું સીમાંકન પૂર્ણ થયા બાદ અને કેન્દ્રએ અંતિમ ડ્રાફ્ટને મંજૂરી આપ્યા બાદ નાગરિક ચૂંટણી માટેનો છેલ્લો અવરોધ દૂર થઈ ગયો છે.