ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો હતો. આપના સાંસદ સંજય સિંહે આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો, આ દરમિયાન તેમણે ભારે સૂત્રોચ્ચાર અને પેપર ફાડી ચેરમેનની ખુરશી તરફ ફેંક્યા હતા, જે બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે.
રાજ્યસભામાંથી આપના સાંસદ સંજય સિંહ એક અઠવાડીયા માટે સસ્પેન્ડ કરાયા
ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના મુદ્દે કર્યો હતો વિરોધ
સૂત્રોચ્ચાર અને પેપર ફાડવા બદલા એક અઠવાડીયા માટે સસ્પેન્ડ થયાં
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને રાજ્યસભામાંથી એક અઠવાડીયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે પેપર ફાડીને, ચેરમેની ખુરશી તરફ ફેંકવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યસભામાંથી 20 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને લોકસભામાંથી કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. સંજય સિંહે સસ્પેન્શન વિરુદ્ધ ટ્વિટર પર પોસ્ટ કરી છે અને તેમાં તેમણે લખ્યું છે કે, મને મોદીજીએ ભલે સસ્પેન્ડ કરાવી દીધા હોય, પણ ગુજરાતમાં ઝેરી દારૂના કારણે 55 મોતનો જવાબ માગતો રહીશ, લડતો રહીશ, હાલમાં હું સદનમાં જ છું.
मुझे भले ही मोदी जी ने ससपेंड कर दिया, मगर गुजरात में ज़हरीली शराब से हुई 55 मौतों का जवाब मांगता रहूंगा , लड़ता रहूंगा । अभी मैं सदन में ही हूँ। pic.twitter.com/nZl6QW63D5
રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે, સંજય સિંહ વેલમાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે એવું પણ કહ્યું કે, સંજય સિંહે પેપર ફાડ્યા અને તેને સીટ પર ઉછાળ્યા હતા, જે સીટની અવહેલના છે. તેના તુરંત બાદ સંજય સિંહ વિરુદ્ધ એક મોશન વોયસ વોટની સાથે પસાર કરવામાં આવ્યું અને તેમને પરિસરમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.
AAP MP Sanjay Singh suspended from Rajya Sabha for the remaining part of the current week for shouting slogans, tearing papers and throwing them toward the Chair yesterday: Deputy Chairman Rajya Sabha
સંજય સિંહે આવા 20માં સાંસદ છે, જેમને એક અઠવાડીયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે રાજ્યસભામાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી છે. આ અગાઉ ગત વર્ષે નવેમ્બર મહિનામાં સત્રમાં કૃષિ કાયદાના વિરોધમાં 12 વિપક્ષી સાંસદોને આખા સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
प्रधानमंत्री जी गृह मंत्री जी दोनो गुजरात से हैं आप लोग कुछ बोलते क्यों नही?
गुजरात CM का इस्तीफ़ा कब होगा?
मुझे 10 बार सस्पेंड करो लेकिन 55 लोगों की जान नक़ली शराब पीने से चली गई उसका जवाब दो।
मैं अभी भी सदन में हूँ और गुजरात के भाइयों की आवाज़ उठाता रहूँगा। pic.twitter.com/wg8hnOSPns
તો વળી મંગળવારે વેલમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 19 સાંસદોને ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે વેલ છોડવાની સલાહ આપી હતી, પણ તેઓ સતત પ્રદર્શન કરી રહ્યા હતા. બાદમાં સંસદી બાબતોના રાજ્યમંત્રી વી. મુરલીધરણે તેમના વિરુદ્ધ એક મોશન રજૂ કર્યું અને વોયસ વોટ સાથે તેને પસાર કર્યું હતું.