દિલ્હીમાં કોરોનાની ખરાબ થઈ રહેલી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પોતાની પાર્ટી પર સવાલ ઉભા કર્યા છે. મટિયા મહેલથી આપના ધારાસભ્યનું કહેવું છે કે કોરોનાથી દિલ્હીમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. પાર્ટીના ધારાસભ્યએ કહ્યુ કે દિલ્હીમાં કોઈ કામ નથી થઈ રહ્યુ. દિલ્હીમાં કોઈ સાંભળનારુ નથી. તેમણે કહ્યુ કે દિલ્હીમાં ન બેડ છે, ન ઓક્સિજન છે, ન દવાઓ મળી રહી છે. અહીં કોઈ કામ નથી થઈ રહ્યુ તેવામાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ.
હું સૌથી સિનિયર ધારાસભ્ય છુ, કોઈ સાંભળી નથી રહ્યુ- શોએબ ઈકબાલ
આપના ધારાસભ્ય શોએબ ઈકબાલ કહ્યુ કે દિલ્હીમાં કાગળો પર સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે હું 6 વાર ધારાસભ્ય છુ. હું સૌથી સિનિયર ધારાસભ્ય છુ. કોઈ સાંભળનારું નથી. કોઈ નોડલ અધિકારી નથી. તેમણે કહ્યું કે તેવામાં તાત્કાલીક અસરથી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ.
કોંગ્રેસે અને ભાજપે પણ સાધ્યો નિશાનો
આપના ધારાસભ્ય તરફથી રાષ્ટ્રપતિ શાસનની માંગ પર ભાજપ અને કોંગ્રેસ રાષ્ટ્રપતિ શાસનના સમર્થનમાં આવ્યા છે. ભાજપના નેતાએ કહ્યુ કે શોએબ ઈકબાલ બરાબર કહી રહ્યા છે. સ્થિતિઓ અરવિંદ કેજરીવાલના હાથની બહાર નિકળી રહી છે. આ પહેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ દિલ્હીમા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી હતી.
दिल्ली में अरविन्द सरकार के द्वारा वैश्विक आपदा के समय में अपने संवैधानिक कर्तव्यों के निर्वहन में
पूर्णतया विफल होने पर महामहिम देश के राष्ट्रपति जी को पत्र लिख कर दिल्ली में राष्ट्रपति शासन लगाने की मांग की । pic.twitter.com/csCQn5S7lF
દિલ્હીમાં ગુરુવારે કોરોના સંક્રમણના 24, 235 નવા મામલા સામે આવતાની સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 11, 22 286 સુધી પહોંચી ગઈ છે. શહેરમાં સંક્રમણનો દર 32. 82 નોંધાયો છે. સ્વાસ્થ્ય વિભાગે બુલેટિનના માધ્યમથી દિલ્હીમાં ગુરુવારે કોવિડ 19ના 395 દર્દીઓના મોત થયા છે. જે ગત વર્ષ મહામારીની શરુઆત બાદ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે આંકડા છે. અત્યાર સુધીમાં શહેરમાં 15, 772 લોકોના મોત થયા છે.