દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા. અરવિંદ કેજરીવાલ બાદ મંત્રી ગોપાલ રાયે શપથ લીધા હતાં. જોકે ગોપાલ રાયે ઈશ્વરનાં નહીં પણ એવા લોકોના શપથ લીધા કે તમે કહી વાહ કહી ઉઠશો.
ગોપાલ રાયે ઈશ્વરના નહી પણ શહીદોના શપથ લીધા
ઉપસ્થિત લોકોએ ગોપાલ રાયની આ અનોખી રીતના કર્યાં વખાણ
ઉપસ્થિત લોકોએ ગોપાલ રાયની આ અનોખી રીતના કર્યાં વખાણ
ગોપાલ રાયએ ઈશ્વરનાં શપથ ન લઈને આઝાદી માટે શહીદ થનારા શહીદોના નામ લઈને શપથ લીધા હતા. જેને પગલ ઉપસ્થિત મહેમાનો એક સમય માટે વિચારમાં પડી ગયા હતાં. જોકે એ બાદ તેઓ એ ગોપાલ રાયના વખાણ કર્યા હતા.
Gopal Rai, Kailash Gahlot and Imran Hussain take oath as Ministers in Delhi Government pic.twitter.com/T5O6Yyerb7
સામાન્ય રીતે શપથ ગ્રહણની પહેલા ઈશ્વર અથવા અલ્લાહના નામની શપથ લેવામાં આવે છે. પરંતું કેજરીવાલના એક મંત્રી ગોપાલ રાયએ શહીદોના નામના શપથ લઈ લોકોને ચોંકાવી દીધા હતા. લોકો ચોંકીને ગોપાલ રાયને જોવા લાગ્યાં હતા.
ગોપાલ રાયે શપથ ગ્રહણ કરતા કહ્યું કે ...
ગોપાલ રાયે શપથ ગ્રહણ કરતા કહ્યું કે ‘હું ગોપાલ રાય આઝાદીના શહીદોના શપથ લઉ છું કે હું વિધિ દ્વારા સ્થાપિત સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. હું ભારતી પ્રભુતા અને અખંડતા જાળવી રાખીશ. હું મંત્રી તરીકે પોતાના કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ અંતરમનથી પાલન કરીશ. હું ભય અથવા પક્ષપાત, અનુરાગ અથવા દ્રેષની ભાવના વગર તમામ પ્રકારના લોકોને સંવિધાન અને વિધિ પ્રમાણે ન્યાય આપીશ.’