AAPના નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલે પોલીસે યુવરાજસિંહની ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના ફૂટેજ મેળવાયા છે.
AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલો
યુવરાજસિંહ જાડેજાની ગાડીની FSL તપાસ કરાઇ
ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના નિશાન મેળવાયા
AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલો
સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા સહિત 2 લોકોની ગત રોજ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જો કે, હાલ પોલીસ વિભાગ દ્વારા ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના ફૂટેજ મેળવાયા છે.
એક સપ્તાહમાં FSLનો રીપોર્ટ આવવાની શક્યતા
તેમજ પોલીસે AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ગાડીને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે.જ્યાં ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના ફૂટેજ મેળવવામાં આવ્યાં છે. તેમજ ગાડીમાં લાગેલા કેમેરાના ફૂટેજ પણ FSL મોકલવામાં આવ્યા છે.આમ FSLના તમામ રિપોર્ટ આગામી એક સપ્તાહમાં આવવાની શક્યતાઓ છે.
યુવરાજસિંહની ધરપકડ કેમ ?
ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો હતો.જેથી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
યુવરાજસિંહ સામે કઇ કલમ લગાવાઇ ?
મહત્વનું છે કે યુવરાજસિંહ સરકારી ભરતીમાં રહેલી ખામીઓ અને થઈ રહેલી ગેરરીતિને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ આયોજનને લઈ સવાલો ઊભા કરી રહયા છે. સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા વધુ લોકપ્રિય છે. ત્યારે ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.