દિલ્હીની હિંસામાં IBના અધિકારીનું મોત થયું છે. IBના અધિકારીની મોત મામલે પરિવારે AAP કોર્પોરેટર તાહિર હુસૈન પર હત્યાનો આરોપ લગાવ્યો છે. અધિકારીની મોત પર પરિવારે કોર્પોરેટર તાહિર હુસૈન પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તાહીરના ઘરની અગાશી પરથી પેટ્રોલ બોમ્બ અને પથ્થરો મળી આવતા પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારે કોર્પોરેટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
દિલ્હી હિંસામાં IB અધિકારીનું મોત
આપના કોર્પોરેટર તાહિર હુસૈન પર હત્યાનો આરોપ
તાહિરના ઘરેથી મળ્યા પેટ્રોલ બોમ્બ
ઉત્તર-પૂર્વ દિલ્હીના કરાવાલ નગર વિસ્તારમાં રહેતા ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) ના સુરક્ષા સહાયક 26 વર્ષીય જાંબાઝ અંકિત શર્મા પણ ટોળાનો શિકાર બન્યા હતા. તેમના મૃત્યુ પાછળ હવે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેનની ભૂમિકા હોવાની શંકા છે. તાહિર અને તેના સમર્થકો પર આઈબી સ્ટાફ અંકિતની હત્યા કરવાનો આરોપ છે.
TAHIR HUSSAIN.
Not a troll handle.Not a politician without office.Elected corporator of AAP.Caught on camera. Video proof of bombs & sophisticated firearms used from his house.
Mother of Ankit Sharma says Tahir goons killed her son.
અંકિત શર્માના ભાઈએ ઉલ્લેખ કર્યો છે કે આ સીએએ-એનઆરસીના નામે જે લોકોને મારી રહ્યા છો તેને બંધ કરો. મારું ઘર બર્બાદ થઈ ચૂક્યું છે અને તેઓ ડ્યૂટીથી આવી રહ્યા હતા. સાડા ચાર વાગે તેમને ગોળી વાગી અને તેમને બહાર લઈ ગયા. ચાર લોકો તેમને ખેંચીને લઈ ગયા અને તેમાંથી 3ની લાશ મળી છે. એકની નહીં.
#AAP councillor Tahir Hussain was rescued by @DCPNEastDelhi Ved Prakash Surya on 24th February after a mob attacked his home.
Here's what Tahir has to say.
Do listen and out this as a slap on every BJP thug trying to blame someone who is himself a victim of the riots.
AAP નેતા તાહીર હુસૈન પર IB અધિકારીની હત્યાનો આરોપ છે જેને લઈને એક વીડિયો વાયરલ થયો છે જેમાં તાહીર હુસૈને ખુલાસો કર્યો છે. ખુલાસામાં તેઓએ પોતે જ હિંસાના શિકાર થયાનો તાહીર હુસૈનનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હિંસા ભડકાવવામાં મારી કોઈ ભૂમિકા નથી. હું એક સાચો ભારતીય મુસલમાન છું. હિન્દૂ-મુસલમાન ભાઈચારા માટે કામ કરતો રહીશ અને સાથે જ આવી નીચલી કક્ષાની રાજનીતિ હું ન કરી શકું.