નવી દિલ્હીઃ IAS ઓફિસરોની હડતાળ સમાપ્ત કરવાની માગણી સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા AAP નેતાઓમાંથી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી હતી. સત્યેન્દ્ર જૈનને તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમની હાલત હાલ સ્થિત હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.
તો AAP નેતા સંજયસિંહે જણાવ્યું કે હજુ સત્યેન્દ્ર જૈનને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા 7 દિવસથી IAS ઓફિસરની હડતાળ પૂર્ણ કરવાની માગણીને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મંત્રી મંડળ સહયોગી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય ભૂખ હડતાળ પર છે. સાતમા દિવસે સત્યેન્દ્ર જૈનની તબિયત લથડતાં તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડો. જેસી પાસીના જણાવ્યા અનુસાર સત્યેન્દ્ર જૈન જોકે ઠીક છે. સવારથી તેમની તબિયત ખરાબ હતી. તેમને માથાનો દુખાવો અને ઉલ્ટી થઇ રહી હતી. સાથે જ સ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. અમે એક ટેસ્ટ કરાવ્યો હતો. તેમના કિટોન પણ ઘણા ઓછા થઇ ગયા હતા. તેમના હાલાત જોઇને તરત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તેમનો માથાનો દુખાવો ઓછો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર સવારે તેમના સ્વાસ્થ્યના રિપોર્ટમાં લોહી શર્કરાના સ્તર પ્રતિ ડીએલ 64 એમજી હતા.