રાઘવ ચઢ્ઢાએ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ચઢ્ઢાએ કહ્યું કે જો આજે ગુજરાતનાં લોકો આ મોંઘવારીથી બચવા ઇચ્છે છે તો તેમની પાસે કેવળ એક જ ઉપાય છે અને તે એ છે કે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને ઝાડૂ.
રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર કર્યા પ્રહારો
મોંઘવારી અને ભ્રષ્ટાચારનાં કર્યા ખુલાસાઓ
શિક્ષણથી લઇ સારવાર મફતમાં આપવાનાં કર્યા વાયદાઓ
ગુજરાત ચૂંટણીનો પ્રચાર ધમાકેદાર રીતે ચાલી રહ્યો છે. તે વચ્ચે આમ આદમી પાર્ટીએ ગુરૂવારે પ્રેસ કોન્ફેરેન્સ કરી બીજેપી પર પ્રહારો કર્યાં હતાં. ગુજરાત ચૂંટણીને લઇને પાર્ટીનાં નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આજે તમને બીજેપીની ડબલ એન્જિન સરકારની સચ્ચાઇ જણાવવા ઇચ્છું છું. પહેલીવાર 2014માં ડબલ એન્જિન સરકાર આવી હતી. 2014થી લઇને 2022 સુધી મોંઘવારીએ રાક્ષસરૂપ ધારણ કરી ગુજરાત સહિત દેશનાં આમ આદમીનાં ખીચા ખાલી કરી દીધાં છે. આ ચૂંટણીમાં સૌથી મોટો મુદો છે મોંઘવારી. જ્યારે 2014માં ડબલ એન્જિન સરકાર બની ત્યારે રોજબરોજની વસ્તુઓનાં ભાવ 2થી 3 ગણાં વધી ગયાં.
પેટ્રોલનાં ભાવ 100 રૂપિયા થયાં- ચઢ્ઢા
તેમણે કહ્યું કે 2014માં પેટ્રોલ 60 રૂપિયામાં વેંચાતું હતું, ડબસ એન્જિન સરકાર આવ્યા પછી આજે 2022માં સામાન્ય વ્યક્તિને 100 રૂપિયે લીટર પેટ્રોલ ખરીદવું પડે છે. 2014માં ડીઝલ 50 રૂપિયે પ્રતિ લિટર વેંચાતુ હતુ પરંતુ ડબલ એન્જિનની સરકાર આવ્યા પછી તેનો ભાવ 90 રૂપિયા થયો છે. LPG ગેસ સિલિન્ડર જે અમે અને તમે રસોઇમાં જમવાનું બનાવવા માટે ઉપયોગ કરો છો તે 2014માં 500 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળતો હતો પરંતુ આજે 2022માં ડબલ એન્જિન સરકારને લીધે 1060 રૂપિયામાં મળે છે.
મોંઘવારીથી બચવાનો એક જ ઉપાય 'ઝાડૂ'
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જો આજે ગુજરાતનાં લોકો આ મોંઘવારીથી બચવા ઇચ્છે છે તો તેમની પાસે કેવળ એક જ ઉપાય છે અને એ છે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને ઝાડૂ. એક તરફ ડબલ એન્જિનની સરકારની મોંઘવારી અને બીજી તરફ અરવિંદ કેજરીવાલનો દરેક પરિવાર માટે 30000 રૂપિયાનો વાયદો છે. ગુજરાત દરેક પરિવારને 300 યૂનિટ વિજળી મફતમાં આપશે. દરેક મહિલાને 1000 રૂપિયા સન્માન રાશિ આપવામાં આવશે. દરેક યુવાને રોજગારી અને બેરોજગારને મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થાની મદદ આપવામાં આવશે.
ગુજરાતમાં શિક્ષણ મફતમાં મળશે- AAP
તેમણે કહ્યું કે ગુજરાતનાં દરેક બાળકને વિશ્વસ્તીરય શાનદાર શાળાઓ મળશે અને મફતમાં શિક્ષણ મળશે. દરેક વ્યક્તિ, બાળક, વૃદ્ધ, મહિલા-પુરુષ, તમામને વિશ્વસ્તરીય સુવિધાઓની સાથે સારવાર મફતમાં મળશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દશકોમાં જેટલો ભ્રષ્ટાચાર થયો છે તેટલો પહેલા ક્યારેય નથી થયો. આપણે જોયું કે મોરબી બ્રિજનાં દર્દનાક ફોટા જ્યારે આપણી સામે આવ્યા તે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. એક ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યુ અને 2 કરોડ રૂપિયા એ કંપનીને આપવામાં આવ્યા. તે કંપનીએ માત્ર 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને 6 મહિનાનાં કામને 2 મહિનામાં અડધુ કામ પતાવીને બ્રિજ ખુલ્લો મૂક્યો. આ ભ્રષ્ટાચાર છે.
મોરબી ઘટનાની તપાસ AAP કરશે
તેમણે કહ્યું કે આ આમ આદમી પાર્ટી આવશે તો એ મોરબી ઘટનાની તપાસ કરશે અને જે સરકાર જનતાનાં જીવ સાથે રમી છે અને જેમણે ભ્રષ્ટાચાર કર્યું છે તે બધાને પકડીને અમે જેલમાં ધકેલીશું.