દિલ્હીમાં જીત બાદ AAPનો જુસ્સો વધ્યો છે અને હવે AAPની નજર ગુજરાત સહિત અન્ય રાજ્યો પર છે. AAP મુંબઇ નગરપાલિકા પર કબજો જમાવવાની તૈયારી કરી રહી છે. અને મુંબઇમાં કોઇ અન્ય પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે AAP એકલા દમ પર જ ચૂંટણી લડશે. ત્યારે હવે રાજકોટમાં AAPના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ છે.
AAP પાર્ટીનુ સંગઠન મજબૂત બનાવાશે
AAPએ શરૂ કર્યું રાષ્ટ્ર નિર્માણ અભિયાન
નારાજ નેતાઓને AAPમાં તક અપાશે
કિશોર દેસાઈએ જણાવ્યુ હતું કે દિલ્હીની જીત બાદ AAP પાર્ટી ગુજરાતમાં સક્રિય થઇ છે. AAP પાર્ટીનુ સંગઠન મજબૂત બનાવવામાં આવશે. AAPએ રાષ્ટ્ર નિર્માણ અભિયાન શરૂ કર્યું છે. મિસ્ડકોલના માધ્યમથી આ પાર્ટીમાં જાહેર જનતા જોડાઇ શકશે. આ વર્ષે યોજાનાર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડની ચૂંટણીમાં AAP ઝંપલાવશે. ભાજપ-કોંગ્રેસના નારાજ નેતાઓને AAPમાં તક આપવામાં આવશે.
મુંબઈ મનપાની ચૂંટણીમાં આપ કોઇ સાથે ગઠબંધન નહીં કરેઃ સંજયસિંહ
AAP હવે મહારાષ્ટ્ર, મુંબઇ સહિત પોતાના દેશવ્યાપી વિસ્તાર પર ધ્યાન આપશે. થોડા દિવસ અગાઉ AAPના સાંસદ સંજયસિંહે કહ્યું કે દિલ્લીમાં કેજરીવાલ સરકારે કામ કર્યું છે અને કામના દમ પર મજબૂતીથી સરકારની વાપસી થઇ છે. અને હવે પાર્ટી મુંબઇ સહિત અન્ય રાજ્યોની મહાનગરપાલિકામાં પણ મજબૂતીથી ચૂંટણી લડશે. સંજયસિંહે કહ્યું કે મુંબઇ મનપાની ચૂંટણીમાં પાર્ટી કોઇ સાથે ગઠબંધન નહીં કરે. અને પોતાના દમ પર ચૂંટણી લડશે. મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.
AAP દ્વારા સદસ્યતા અભિયાન શરૂ
દિલ્હીમાં AAPની શાનદાર જીત બાદ હવે AAPની અન્ય રાજ્યો પર નજર છે. હવે AAP દ્વારા સદસ્યતા અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અભિયાન 23 માર્ચ સુધી અભિયાન ચાલશે. અભિયાન હેઠળ 1 કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય છે. આ અભિયાનને રાષ્ટ્ર નિર્માણ અભિયાન નામ અપાયુ છે. આજથી દેશના 20 રાજ્યોમાં અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.