આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા તેમના નિવેદનને કારણે ફરી વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે શારદાપીઠના દંડી સ્વામીએ બ્રાહ્મણોને એક થવા કહ્યું છે, સાથેજ ગોપાલ ઈટાલિયા દ્વારકા મંદિર આવીને માફી માગે તેવી માગ પણ કરી છે.
આપના નેતા ગોપાલ ઈટાલિયા ફરી વિવાદોમાં ઘેરાયા
દ્વારકા શારદાપીઠના દંડી સ્વામીએ બ્રાહ્મણોને એક થવા કહ્યું
ગોપાલ ઈટાલિયા દ્વારકા મંદિરે આવીને માફી માગે તેવી માગ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ થોડાક દિવસ પહેલા એવું વિવાદીત આપવામાં આવ્યું હતું. કે લોકો ધાર્મિક વિધી કરવા પાછળ સમય અને રૂપિયાનો બગાડ કરી રહ્યા છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે લોકો વર્ષોથી એકજ કથાઓ સાંભળી રહ્યા છે. આ વિવાદીત નિવેદનનો વીડિયો વાયરલ થયો, જેથી લોકોમાં રોષ ફેલાયો હતો.
શારદાપીઠના દંડી સ્વામીએ આપ્યું નિવેદન
આ મામલે હવે દ્વારકા શારદાપીઠના દંડી સ્વામી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે. ગોપાલ ઈટાલિયાની વિરુદ્ધમાં બધા બ્રાહ્મણો એક થાય. તેમણે એવું પણ કિધું છે કે તેઓ હિન્દૂ સંસ્કૃતિને જાણતા નથી ને આવા નિવેદનો આપી રહ્યા છે.
બ્રાહ્મણોને વિનંતી કરી કે એક થાય
દંડી સ્વામી દ્વારા સમગ્ર મામલે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં દેવતા નથી તો પછી તેઓ સોમનાથ શા માટે ગયા હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે નાસ્તિકતાનું પ્રદર્શન કરીને તેઓ પોતાની સ્થાપના કરવા માગે છે. જેથી આ સમગ્ર મામલે તેમણે બ્રાહ્મણોને વિનંતી કરી છે કે તેઓ એક થાય.
હિન્દુઓની લાગણી દુભાઈ
ગોપાલ ઈટાલીયાએ થોડાક દિવસો પહેલાજ આ નિવેદન આપ્યું હતું, તે સમયે તેમનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. પરિણામે ઘણા લોકોની લાગણી દુભાઈ હતી. ઉપરાંત ડાકોર અને કપડવંજના પોલીસ મથકમાં તેમની સામે હિન્દૂ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોવાને લઈને અરજી પણ કરવામાં આવી હતી.
દ્વારકા મંદિરે માફી માગવા આવે તેવી માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે દંડી સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું છે. ગોપાલ ઈટાલીયા નેતા બનવા માટે તેમનો વિરોધ કરી રહ્યા છે. જેથી તેમણે એવી માગ કરી છે કે તેઓ સોમાનથ, નાગેશ્વર અને દ્વારકા મંદિરે આવીને માફી માગે