હરિયાણાની 10 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે સાંસદ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જેની ઔપચારિક જાહેરાત આજે થઈ શકે છે.
લોકસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે, જ્યારે હરિયાણાની 10 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે સાંસદ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. મળતી માહિતી મુજબ બન્ને પાર્ટીઓ વચ્ચે 6-4ની ફોર્મ્યૂલા બની છે. એટલે કે હરિયાણાની 6 લોકસભા બેઠક પર JJP ચૂંટણી લડશે. જ્યારે 4 લોકસભા બેઠક પર AAP ચૂંટણી લડશે.
આ પૂર્વે દુષ્યંત ચૌટાલાએ સંકેત આપ્યા હતા કે, જો કોઈ પાર્ટીનો સિદ્ધાંત તેમની પાર્ટી સાથે મેળ ખાતો હશે તો જ તેની સાથે ગઠબંધન કરશે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, સમાન વિચારધારા વાળી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જોકે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ કિંમત પર કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.