જીતુ વાઘાણીએ કેજરીવાલ પર કરેલા આકરા પ્રહારના લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી
જીતુ વાઘાણીના નિવેદન અંગે ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા
જીતુ વાઘાણી શિક્ષણની વાત આવે તો ચર્ચાથી દૂર ભાગે છેઃ ઇટાલીયા
જે બાબતો વિવાદિત છે તેને સૌ જાણે તે જરૂરીઃ ઇટાલીયા
કશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઇને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં આપેલા નિવેદનનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઇ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ ભાજપ દ્વારા મુખ્યમંત્રી કેજરીવાલનો ભારે વિરોધ કરાઇ રહ્યો છે.ત્યારે ગઇકાલે રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા.જેનો આજે ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જવાબ આપ્યો હતો.
જીતુ વાઘાણીના નિવેદન અંગે ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન અંગે ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જીતુ વાઘાણી શિક્ષણની વાત આવે તો ચર્ચાથી દૂર ભાગે છે. જ્યારે હિન્દૂ, મુસ્લિમ, પાકિસ્તાનની આવે તો ઉછળીને વાતો કરે છે. જે બાબતો વિવાદિત છે તેને સૌ જાણે તે જરૂરી છે. છેવાડાના લોકો ઇતિહાસ જાણી શકે તે માટે કજરીવાલે કહ્યુ છે. આમાં વિરોધ કરવાની ક્યાં જરૂર છે. ફિલ્મને કરમુક્ત કરી છે તો શિક્ષણ, ટોલ નાકા, દવાખાના ફ્રી કરો
કાશ્મીર ફાઇલ્સ મામલે કેજરીવાલના નિવેદન પર રાજકારણ ગરમાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ફાઈલ્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવેદન પર ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કેજરીવાલ જુઠ્ઠી દેશભક્તિ અને જુઠ્ઠી વાત કરી રહ્યાં છે. કાશ્મીર ફાઇલ્સ તથ્ય અને સત્ય આધારિત ફિલ્મ છે. આજે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી છે. ત્યારે આ શાંતિમાં પલિતો ચાંપવાનું કામ કેજરીવાલ એન્ડ કંપની કરી રહી છે