કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતમાં પ્રચાર કરી રહેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપ પર કર્યા પ્રહાર
ખાલી મીડિયામાં આપ હોવાનો દાવો
જમીન સ્તર પર આપ ક્યાંય નથી- ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતમાં પ્રચાર કરી રહેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. ઠાકુરે કહ્યું છે કે, આપ ખાલી મીડિયા દ્વારા માહોલ બનાવી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં જમીની સ્તર પર તેમનું નામોનિશાન નથી. ઠાકુરે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે પહેલા જ પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ચૂંટણી લડી છે. તેમની હાલત તો તમે જોઈ ને ! તે ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ જીતી શક્યા નહીં, શું આપે ઉત્તરાખંડ, ગોવામાં તેમની હાલત જોઈ ? ક્યારેક ક્યારેક તે મીડિયા દ્વારા માહોલ બનાવે છે, પણ જમીન પર કંઈ નથી.
મોદીજીના નામ પર એકતરફી ચૂંટણી અમે જીતીએ છીએ
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વના વખાણ કરતા ઠાકુરે કહ્યું કે, તેમને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બતાવ્યા અને કહ્યું કે, દેશમાં જ્યાં પણ ચૂંટણી થઈ રહી હોય, ભાજપને તેમના નામ પર એકતરફી વોટ મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, વર્ષના અંતમાં ભાજપ ફરી એક વાર હિમાચલ અને ગુજરાતમાં આવશે.
પંજાબમાં પ્રચાર મોડો શરૂ કર્યો
હાલમાં જ પુરી થયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર વિશે ઠાકુરને પૂછવામાં આવ્યું હતું. તેના પર તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે, અમે પંજાબમાં પ્રચાર કરવામાં ખૂબ મોડુ કરી નાખ્યું હતું. પણ અમારી સીટો ઓછી થઈ નથી. અમારો વોટ શેર પણ વધ્યો છે. પંજાબમાં 2027માં અમે સત્તામાં આવીશું.
કેજરીવાલે ગુજરાતના લોકો પાસે એક મોકો માગ્યો
આપને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને શનિવારે અમદાવાદમાં રોડ શો દરમિયાન ગુજરાતના લોકો પાસેથી આપને રાજ્યમાં શાસન કરવાનો એક મોકો આપવાની અપીલ કરી હતી. પંજાબમાં પોતાની પાર્ટીની શાનદાર જીતથી ઉત્સાહિત આપ નેતાઓ પ્રધાનમંત્રી મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.