વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાન બાદ હવે કોંગ્રેસ અને આપના પ્રહાર, પ્રચાર કરવાથી લોકોની સમસ્યા હલ નહીં થાય
PM મોદીના મતદાન મામલે AAP-કોંગ્રેસના સવાલ
PM મોદી હજુ પણ પ્રચાર કરી રહ્યા છે, તે લલાકો સુધી મીડિયામાં રહેવા માંગે છે: જગદીશ ઠાકોર
પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથી, વધતી જતી મોંઘવારી ઓછી થઈ શકતી નથી: ઇસુદાન ગઢવી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાના મતદાન દરમ્યાન હવે વડાપ્રધાનના મતદાનને લઈ આક્ષેપબાજી શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથી. પ્રચારથી વધતી જતી મોંઘવારી ઓછી થઈ શકતી નથી, ન તો તે વધતી કિંમતોને રોકવામાં મદદ કરે છે, ન તો પેપર લીકનો મુદ્દો ઉકેલી શકાય છે. આ સાથે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, PM મોદીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને અમદાવાદમાં મતદાન કર્યા બાદ 'રોડ શો' કર્યો. હવે આ અંગે તમામ પક્ષોના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કર્યા બાદ લોકોને મતદાન મથકો પર જઈને મતદાન કરવા અપીલ કરી હતી. તમે જેને ઇચ્છો તેને પસંદ કરો પરંતુ તમે મતદાન કરો ત્યારે જ રાજકીય નેતાઓ પાસેથી જવાબ માંગી શકશો. દાવો કર્યો કે, આમ આદમી પાર્ટીએ વ્યક્ત કર્યું છે કે, જનતા પ્રથમ તબક્કામાં 89 બેઠકોમાંથી 51 પ્લસ અને બીજા તબક્કામાં 52 પ્લસ સીટો જીતશે. દેશના દરેક બાળકને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તે કેવી રીતે શક્ય બનશે? એક સારા જનપ્રતિનિધિને પસંદ કરો.
જાણો કોંગ્રેસે શું કહ્યું હતું ?
કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે, પીએમ મોદી હજુ પણ પ્રચાર કરી રહ્યા છે. તે કલાકો સુધી મીડિયામાં રહેવા માંગે છે. ગુજરાતમાં ભાજપ સત્તા પર જઈ રહ્યું છે તો મતદાનને બદલે હવે પ્રચાર શરૂ કરી દીધો છે, જ્યારે રાજ્યમાં મતદાનને ધ્યાનમાં રાખીને આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જોકે ભાજપ આ તમામ આરોપોથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.