આમ આદમી પાર્ટીએ ગઠબંધનનાં મુદ્દા પર શનિવારનાં રોજ પ્રેસ કોન્ફરન્સ કરી. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આંકડાઓને આધારે પાર્ટીની મજબૂતીની વાત કરી.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં તે સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ પત્રકાર પરિષદ યોજીને આ વાતની સ્પષ્ટતા કરી છે.. મનિષ સિસોદીયાએ કહ્યું કે, અમે ખૂબ પ્રયાસ કર્યા અને કોંગ્રેસ સામે અનેક ફોર્મ્યૂલા રજૂ કર્યા.. પરંતુ કોંગ્રેસ ગઠબંધનને લઈને તૈયાર નથી. અમે કોંગ્રેસ સામે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડતા લડતા સત્તામાં આવ્યા હતા. પણ હવે અમે કોંગ્રેસનો સાથ એટલા માટે ઈચ્છતા હતા કે કોઈ સાંપ્રદાયિક શક્તિ દેશને તોડી ના શકે.
"Congress पूरी तरह से सीटों की आंकड़ेबाजी में फंसी हुई है, हम मोदी-शाह की जोड़ी से देश को बचाने में लगे हुए हैं"- @msisodiapic.twitter.com/uEurZNyb7e
જેથી અમે દિલ્લી, હરિયાણા, ગોવા, ચંદીગઢ અને પંજાબમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ઈચ્છતા હતા. જેના પગલે અમે કોંગ્રેસ સાથે વાત કરી અને હરિયાણામાં જે.જે.પી. સાથે વાત કરી. ગોવા અને પંજાબમાં તેઓએ ગઠબંધનની ઈનકાર કર્યો. દિલ્લીમાં કોંગ્રેસના એક પણ MLC નથી. કોંગ્રેસને પાછલી ચૂંટણીમાં પણ બહુ જ ઓછા વોટ મળ્યા હતા. જો આપ અને કોંગ્રેસ સાથે આવે તો ભાજપને હરાવી શકત અને નરેન્દ્ર મોદી તથા શાહની જોડીને ફરીથી સત્તામાં આવતા રોકી શકતાં.