વડોદરામાં અરવિંદ કેજરીવાલના તિરંગા યાત્રાના રૂટ પર AAP-BJP કાર્યકરો વચ્ચે માથાકૂટ થઇ હતી.
વડોદરામાં અરવિંદ કેજરીવાલના તિરંગા યાત્રાના રૂટ પર બબાલ
ભાજપ અને AAPના કાર્યકર્તાઓ સામસામે આવ્યા
અરવિંદ કેજરીવાલના બેનર્સ લગાવવા બાબતે બબાલ
વડોદરામાં ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા હોવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તિરંગા યાત્રાના રૂટ પર AAP-BJP કાર્યકરો વચ્ચે ચૂંટણી પહેલા ચકમક જરી હતી.
BJP અને AAPના કાર્યકર્તા વચ્ચે બબાલ
વડોદરામાં અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રાના રૂટ પર બબાલ થઇ હતી. ગુજરાત મુલાકાતને લઇને વડોદરામાં AAP ના કાર્યકરો અરવિંદ કેજરીવાલના બેનર્સ લગાવી રહ્યા હતા. આ વેળાએ દિલ્લીના CM અરવિંદ કેજરીવાલનો ભાજપ દ્વારા આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ત્યાંરબાદ ભાજપ અને AAPના કાર્યકર્તાઓ સામસામે આવી જતા માહોલ તંગ થયો હતો. બંને પક્ષ વચ્ચે બરાબરની જામી પડતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. વધુમાં સામે પક્ષે AAP ના કાર્યકરોએ રોડ પર સુઈને રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને લઇને સ્થાનિક પોલીસ કાફલો પણ તાબડતોબ દોડી ગયો હતો અને ભાજપના યુવા મોરચાના કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યકર્તાઓની બબાલને લઈ પોલીસ થઈ દોડતી
દિલ્હીના કેબિનેટ પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સામે પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન વડોદરાના પ્રવાસે આવશે. જ્યાં બંને નેતાઑ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન નવરાત્રીના બેનરો પર આપના બેનરો લગાવાતા વડોદરાના રાજમહેલ રોડ ખાતે બબાલ થઇ હતી. હિન્દૂ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકો દ્વારા ચિમકી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.