આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી રાજકારણની શરૂઆત કરશે. ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની નબળાઈનો લાભ લઈને પગ જમાવવાની કોશિશ કરી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન લેવા આપની તૈયારીઓ કરી રહ્યુ છે. દિલ્હીમાં જીત પછી ગુજરાત આપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવીંદ કેજરીવાલ બિહારમાં પણ પાર્ટીનું કામકાજ શરૂ કરશે
મોદીને 2012માં ગુજરાત અને 2014માં દેશ જીતાડનારા પ્રશાંત કિશોર આપમાં જોડાશે. પ્રશાંત કિશોર વ્યૂહરચનાકાર તરીકે દિલ્હીની ચૂંટણીમાં આપના ભાગીદાર હતા.
કોશિશ કરી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન લેવા આપની તૈયારીઓ કરી રહ્યુ છે. દિલ્હીમાં જીત પછી ગુજરાત આપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવીંદ કેજરીવાલ બિહારમાં પણ પાર્ટીનું કામકાજ શરૂ કરશે.
ગુજરાતમાં આપની રાહ કેવી રહી?
2014ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં લોકોને જોડવા માટે આમ આદમી પાર્ટીએ કેમ્પેઈન કર્યુ હતુ. લોકોને પત્રિકાઓ થકી તેમજ મિસ્ડ કોલ અભિયાનથી જોડવા પ્રયાસ કર્યો હતો. 2014માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સરવે કર્યો હતો. જે તે સમયે ગુજરાતમાં ભાજપનો ચાહક વર્ગ વધારે હોવાથી કેમ્પેઈન ઢીલું પડ્યુ હતુ.
2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કર્યુ
આમ આદમી પાર્ટી સાથે જીગ્નેશ મેવાણી, કનુભાઈ કલસરિયા જેવા નેતાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ લોકોના મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પંજાબની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. પંજાબની ચૂંટણીમાં હાર થતા આમ આદમી પાર્ટી હિંમત હારી ગઈ હતી.
જમીન સંપાદન, પ્રદુષણ અને SIR જેવા પ્રોજેક્ટો સામે કલસરિયાએ ધરણાં આંદોલન પણ કર્યા
ગુજરાતમાં ભાજપના દબદબા સામે આપના ઉમેદવારોને ચૂંટણી મેદાને ન ઉતારવાનું નક્કી કર્યુ હતુ. ગુજરાતમાં આપના નેતા કનુભાઈ કલસરિયાએ આમ આદમી પાર્ટી વતી લોકોના મુદ્દા ઉઠાવ્યા હતા. જમીન સંપાદન, પ્રદુષણ અને SIR જેવા પ્રોજેક્ટો સામે કલસરિયાએ ધરણાં આંદોલન પણ કર્યા હતા. સરકારના કડક વલણ સામે આમ આદમી પાર્ટીના ધરણાનું સુરસુરિયું થઈ ગયું હતુ.