મધ્યપ્રદેશના નીમચમાં ચા વેચનારની પુત્રી આંચલ ગંગવાલ (24) ભારતીય વાયુ સેનામાં ફ્લાઈંગ ઓફિસર બની છે. આંચલના પિતા સુરેશ ગંગવાલ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 400 કિલોમીટર દૂર નીમચમાં બસ સ્ટેન્ડ પર લગભગ 25 વર્ષથી ચાની એક નાની કિટલી ચલાવે છે.
આંચલ છઠ્ઠા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરવામાં સફળ રહી હતી
પિતા બસ સ્ટેન્ડ પર 25 વર્ષથી ચાની કિટલી ચલાવે છે
...તેણે ફ્લાઈંગ ઓફિસર બનવાનું સ્વપ્ન જોયું
સુરેશ ગંગવાલે કહ્યું, "2013 માં ઉત્તરાખંડના કેદારનાથમાં થયેલી ભયાનક દુર્ઘટના પછી એરફોર્સના સ્ટાફે બહાદુરીથી ત્યાંના લોકોને મદદ કરી હતી. તે આંચલે જોયું હતું અને ત્યારબાદથી તેણે ફ્લાઈંગ ઓફિસર બનવાનું સ્વપ્ન જોયું હતું. જે હવે સાકાર થયું છે.
તેમણે કહ્યું કે તેનું સ્વપ્ન સાકાર થાય તે માટે આંચલે પુસ્તકો એકત્રિત કર્યા અને પરીક્ષાની તૈયારી શરૂ કરી. સુરેશે કહ્યું હતું કે આંચલ છઠ્ઠા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરવામાં સફળ રહી હતી. તેમણે કહ્યું કે, હું છેલ્લા 25 વર્ષથી ચાની કિટલી ચલાવુ છું. તેથી કોઈપણ મારી આર્થિક પરિસ્થિતિ સમજી શકે છે કે તે કેવી છે? ''
नीमच में चाय की दुकान लगाने वाले सुरेश गंगवाल जी की बेटी आंचल अब वायुसेना में फाइटर प्लेन उड़ायेगी।
मध्यप्रदेश को गौरवान्वित करने वाली बेटी आंचल अब देश के गौरव और सम्मान की रक्षा के लिए अनंत आकाश की ऊंचाइयों में उड़ान भरेगी।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 22, 2020
હાઈસ્કૂલ સુધી ભણેલા સુરેશે કહ્યું કે, ઘણી વખત મારી પાસે મારી દીકરીની સ્કૂલ અથવા કોલેજની ફી ભરવા માટે પૈસા પણ નહોતા. મેં ઘણી વખત લોકો પાસેથી ઉઘાર લીધું હતુ અને તેની ફી ચૂકવી દીધી હતી. તેમણે કહ્યું કે, તેનું ફ્લાઇંગ ઓફિસર બનવું અમારા માટે ગર્વની વાત છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણએ ટ્વીટ કર્યું છે કે, નીમચમાં ચાની દુકાન ધરાવતા સુરેશ ગંગવાલજીની પુત્રી આંચલ હવે એરફોર્સમાં ફાઇટર પ્લેન ઉડાવશે. મધ્યપ્રદેશને ગૌરવ અપાવનાર પુત્રી આંચલ હવે દેશના ગૌરવ અને સન્માનની રક્ષા માટે અનંત આકાશની ઉંચાઈએ ઉડશે. પુત્રીને અભિનંદન, આશીર્વાદ અને શુભેચ્છાઓ.