આમિર ખાનનું કરિયર ખતમ થઈ ગયું છે અને જલ્દી જ શાહરુખ અને સલમાનનું કરિયર પણ ખતમ થઈ જશે.
આમિર ખાનનું કરિયર ખતમ થઈ ગયું છે.
સલમાન અને શાહરુખ ખાનને જલ્દી ફિલ્મ રીલીઝ કરવી જોઈએ
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમરી ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને ફેન્સને ઘણી આશા હતી પણ બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી ન કરી શકે. ઉમ્મીદથી ઘણી ઓછી કમાણી થઈ રહી છે અને આટલી મોટી ફિલ્મની આવી કમાણી જોઇને કમાલ આર ખાન એટલે કે KRK એ આમિર ખાન પર કટાક્ષ કર્યો છે. KRK એ દાવો કર્યો છે કે આમિર ખાનનું કરિયર ખતમ થઈ ગયું છે.
Bhai Jaan @iamsrk Aaj #AamirKhan Ka Career khatam Kar Diya Gaya Hai. Bas Ab Aapki #Pathan Aur #Budhao Ki Film Ka wait hai. Aap Dono Bhi Jaldi Release Karo. Wait Nahi Ho Paa Raha Hai.🤪
આમિર સાથે શાહરુખ પર પણ કર્યો કટાક્ષ
KRK એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે અને એ પોસ્ટમાં તેને આમિર ખાનનું કરિયર ખતમ થઈ ગયું છે એવો દાવો કર્યો છે. આ સાથે જ કેઆરકે એ શાહરુખ ખાનને પણ ચેતવણી આપી છે. આમિર ખાનની ફિલ્મના ખરાબ પર્ફોમન્સ પછી KRK એ સલમાન અને શાહરુખ ખાનને જલ્દી ફિલ્મ રીલીઝ કરવા માટે કહ્યું છે.
જો કે KRK એ તેના ટ્વીટ માં સલમાન ખાનનું નામ લીધું નથી પણ એના કહેવાનાં અંદાજા પર સાફ સાફ લાગી રહ્યું છે કે તે તેના ટ્વીટમાં સલમાન ખાનની જ વાત કરી રહ્યા છે. શાહરૂખ અને સલમાન ખાન પર કટાક્ષ કર્યો છે.
બોલીવુડનાં કિંગ ખાન પર કટાક્ષ કરતા એમને કહ્યું હતું કે, 'જો કોઈને તેના ફિલ્મની ફેલીયર વિશે એક ટકા પણ શંકા છે તો એમને તેણી ફિલ્મમાં કિંગ ખાન ભાઈજાન પાસે એક સીન તેની ફિલ્મમાં કરાવી લેવો જોઈએ જેથી એ નક્કી થઇ જાય કે ફિલ્મ 100 ટકા ફ્લોપ થવાની જ છે. આ પહેલાં પણ KRK એ ત્રણેય ખાન વિશે ઘણું ખરાબ બોલી ચુક્યો છે અને ઘણાં કટાક્ષ કરી ચુક્યો છે.
ફિલ્મ 'પઠાણ'ને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. તેમાં જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે. તેમાં સલમાન ખાનનો ખાસ કેમિયો પણ હશે. એ જ રીતે શાહરૂખ સલમાનની 'ટાઈગર 3'માં જોવા મળશે. ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી 2023 ના રોજ થીયેટરમાં રીલીઝ થવા જઈ રહી છે.