મુંબઇ: આમિર ખાન આજે બોલીવુડમાં સફળતાનો અભિપ્રાય બની ચુક્યો છે. એની ફિલ્મો વૈશ્વિક સ્તરે ઓખળવામાં આવી રહી છે.આમિરની ફિલ્મોમાં આવ્યાને 30 વર્ષ થઇ ગયા છે. તાજેતરમાં જ એને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરિયર અને પસંદગી માટે જણાવ્યું.
આમિરે કહ્યું 'જ્યારે એ નવો નવો આવ્યો હતો એ દરમિયાન એની પસંદગીની ફિલ્મોમાં કામ કરવાને લઇને એકલો સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ આજની તારીખમાં પણ એ પ્રકારની ફિલ્મો મેનસ્ટ્રીમન સિનેમાવો ભાગ થઇ રહી છે. આ સફર એટલી સરળ નહતી.'
જ્યારે આમિરને પૂછવામાં આવ્યું કે એને ફિલ્મ ફ્લોપ થવાની અને પૈસા કમાવવાનો ડર નહતો તો આમિરે કહ્યું કે 'વાત એ નથી કે પૈસા અલગ વસ્તુ છે હું કોઇ ફિલ્મ એટલા માટે કરું છું કારણ કે મને એ ફિલ્મ કરવી હોય છે. મને ખબર હોય છે તે જો હું તલાશ જેવી ફિલ્મ બનાવીશ તો એ વર્ષની સુપરહિટ ફિલ્મ નહીં હોય પરંતુ હું એવી ફિલ્મો એેટલા માટે કરું છું કેમકે મારી ઇચ્છા છે.'
ફિલ્મોની સ્કિપ્ટ માટે વાત કરતાં આમિરે જણાવ્યું 'હું કોઇ પણ સ્ક્રિપ્ટને એક ઓડિયન્સની જેમ જોવું છું. હું ઇચ્છું છું કે સ્કિપ્ટ એવી હોય કે જે મને ઉત્સાહિત કરે એમા એક સંદેશ હોય. હું ઇચ્છું છું કે મારી પિલ્મો સારી હોય એને વધારેને વધારે લોકો પસંદ કરે.'