બોલિવૂડ એક્ટર આમિર ખાને તેના સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. એક્ટરે ટ્વિટર પર એક લેટર શેર કર્યો છે. તેણે જણાવ્યું કે, તેના ઘરે અન્ય સભ્યો અને પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
આમિર ખાનના ઘરે પહોંચ્યો કોરોના
તેના સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા
ઘરના અન્ય લોકોનો પણ ટેસ્ટ કરાવ્યો
આમિરે લેટર શેર કરતા લખ્યું- મારા સ્ટાફના કેટલાક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તરત જ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. બીએમસીના અધિકારીઓએ પણ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. હું બીએમસીનો આભારી છું. તેઓ મારા સ્ટાફની સારી રીતે દેખરેખ કરી રહ્યાં છે. સાથે જ આખી સોસાયટીને સેનિટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરી છે.
અમારા બધાંનો પણ કોરોના ટેસ્ટ કરાયો છે. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે હું મારી માતાનો ટેસ્ટ કરાવીશ. પરિવારમાં માત્ર તેઓ જ એવા એક સભ્ય છે જેમનો ટેસ્ટ કરાવવાનો બાકી છે. પ્રાર્થના કરો કે મારી માતાનો રિપોર્ટ નેગેટિવ આવે. જે રીતે બીએમસી અમારી મદદ અને દેખરેખ કરી રહી છે, તે માટે હું ફરીવાર તેમનો આભાર વ્યક્ત કરું છું.
આમિર ખાને ટ્વીટમાં કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરો, નર્સો અને સ્ટાફનો પણ આભાર માન્યો છે. તેણે લખ્યું છે કે- તેઓ તમામ ટેસ્ટિંગ પ્રોસેસને કેર સાથે કરી રહ્યા છે. આમિર ખાને આ સાથે આ સાથે તમામને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. એવું કહેવાય છે કે આમિર લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ 15 જુલાઈથી તેની ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ ફરીથી શરૂ કરવાને લઈને એક્સાઈટેડ હતો. પરંતુ સ્ટાફના 7 લોકો કોરોના પોઝિટિવ આવતા હવે ફિલ્મની શૂટિંગ પોસ્ટપોર્ન કરવી પડી શકે છે.