હાલ સોશ્યલ મીડિયા પર #BoycottKBC ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેની પાછળનું કારણ છે આમિર ખાન.
હાલ ટ્વિટર પર #BoycottKBC ટ્રેન્ડ થઈ રહ્યું છે
લોકોએ આમિરની ફિલ્મ ન જોવાનું મન બનાવી લીધું છે
અમિતાભ બચ્ચનનો એ શો ફેક અને સ્ક્રિપ્ટેડ છે
પોપ્યુલર ક્વીઝ શો 'કોન બનેગા કરોડપતિ' 7 ઓગસ્ટથી કરી એક વખત શરુ થઈ ગયો છે. તેની હોટ સીટ પર ઘણી ઘણાં નામી સેલીબ્રીટીઓ આવી ગયા છે. આઝાદીનાં 75 વર્ષનાં આ મોકા પર એક સ્પેશ્યલ એપિસોડમાં આમીર ખાન સાથે ઘણાં સેનાનાં જવાન પણ આ શોમાં ભાગ લેતા નજર આવ્યા હતા. પણ ઘણાં લોકોને આ વાત પસંદ આવી નહતી અને હાલ સોશ્યલ મીડિયા પર ફરી એક વખત આ લોકોએ હોબાળો મચાવ્યો છે. ચાલો જાણીએ શું છે એ વાત અને કેમ થયું આવું..
હાલ ટ્વિટર પર #BoycottKBC ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેની પાછળનું કારણ છે આમિર ખાન. આમરી ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' (Laal Singh Chaddha) નું ટ્રેલર લોન્ચ થયું હતું ત્યારથી જ ઈન્ટરનેટ પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ થઈ રહ્યું હતું. લોકોએ આમિરની ફિલ્મ ન જોવાનું મન બનાવી લીધું અને એ હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. હવે આમિર ખાન જ્યારે તેની ફિલ્મને પ્રમોટ કરવા માટે અમિતાભ બચ્ચનના શો માં પંહોચ્યાં તો આ લોકોને એ વાત પસંદ ન આવી અને એમને અમિતાભના શો ને પણ બૉયકોટ કરવાની માંગ ઉઠાવી હતી.
ટ્વિટર પર હાલ #BoycottKBCને લઈને ઘણી પોસ્ટ કરવામાં આવે છે અને લોકો હવે આ શો ને લઈને ગુસ્સે ભરાયા છે. લોકો કહી રહ્યા છે કે અમિતાભ બચ્ચનનો એ શો ફેક અને સ્ક્રિપ્ટેડ છે અને આમિર ખાન જેવા લોકોની ફિલ્મનું પ્રમોશન કરે છે.
Bandhega ek perfect samaa jab humare Mr. Perfectionist #AamirKhan khelenge hotseat par apna perfect game!
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની આવનારી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા ' અને અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા બંને ફિલ્મો ખૂબ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર બંને ફિલ્મોને બોયકોટ અને સપોર્ટમાં પોસ્ટ કરી રહ્યા છે. જો કે, લાગે છે કે બોયકોટ કરવાની માગનો કોઈ ખાસ્સો ફરક દેખાતો નથી કારણકે બોક્સઓફિસના રિપોર્ટ અનુસાર ફિલ્મ એડવાંસ બુકીંગથી 8 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી રહી છે. દિલ્હી-એનસીઆરમાં ફિલ્મનું ખૂબ એડવાંસ બુકીંગ થઈ રહ્યું છે.