આમિર ખાન અને કિયારા અડવાણીની જાહેરાત વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ પણ આ જાહેરાત પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
આમિર કિયારાની જાહેરાત ઘેરાઈ વિવાદમાં
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
વિવેક અગ્નિહોત્રીએ પણ લગાવ્યો આ આરોપ
આમિર ખાન અને કિયારા અડવાણીની એક જાહેરાત વિવાદમાં આવી છે. આ ટીવી કોમર્શિયલમાં આમિર અને કિયારા એક વેડિંગ કપલના રૂપમાં જોવા મળી રહ્યા છે. આ એડને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સ તેને હિંદુ ધર્મને ઠેસ પહોંચાડનારી જાહેરાત ગણાવી રહ્યા છે. આ બધાની વચ્ચે કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ આમિર ખાન અને કિયારા અડવાણીની એડની આકરી ટીકા કરી છે.
I just fail to understand since when Banks have become responsible for changing social & religious traditions? I think @aubankindia should do activism by changing corrupt banking system.
Aisi bakwaas karte hain fir kehte hain Hindus are trolling. Idiots.pic.twitter.com/cJsNFgchiY
વિવેક અગ્નિહોત્રીએ વ્યક્ત કરી નારાજગી
આમિર-કિયારાની એડ પર નારાજગી વ્યક્ત કરતા વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાહેરાતનો વીડિયો શેર કરતાં તેણે પોસ્ટમાં લખ્યું, “મને સમજાતું નથી કે સામાજિક અને ધાર્મિક પરંપરાઓ બદલવા માટે બેન્કો ક્યારે જવાબદાર બની ગઈ? મને લાગે છે કે એયુ બેંક ઈન્ડિયાએ ભ્રષ્ટ બેંકિંગ સિસ્ટમમાં ફેરફાર કરીને સક્રિયપણે કાર્ય કરવું જોઈએ. તેઓ આવી બકવાસ કરે છે અને પછી કહે છે કે હિન્દુઓ ટ્રોલ કરી રહ્યા છે. મૂર્ખ."
વિવેકના ટ્વીટ પર લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે
વિવેકના આ ટ્વીટ પર લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 'મેં પણ આ બેંકમાં FD કરાવી છે, જે હવે બંધ કરી રહ્યો છું. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, 'દર વખતે આપણી ધાર્મિક ભાવનાઓને ઠેસ કેમ પહોંચે છે, અન્ય કોઈ ધર્મ સાથે આવું કેમ નથી થતું.’ બીજા ઘણા યુઝર્સ પણ વિવેકના ટ્વીટની તરફેણમાં કોમેન્ટ કરી રહ્યા છે.
જાહેરાત પર શા માટે થઈ રહ્યો છે વિવાદ?
તમને જણાવી દઈએ કે આમિર અને કિયારાએ એક બેંક બ્રાન્ડ માટે એડ કરી છે. આ વીડિયોમાં આમિર અને કિયારા કારમાં બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન આમિર કિયારાને કહે છે કે પહેલીવાર વિદાય થઈ છે અને દુલ્હન નથી રડી, આના પર કિયારા કહે છે કે રડ્યો તો તુ પણ નથી.
આ પછી આમિર અને કિયારાનું વેલકમ થતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન આમિરે કિયારાને પૂછ્યું કે ઘરમાં પહેલું પગલું કોણ ભરશે. આના પર કિયારા કહે છે કે કોણ નવું છે તો આમિર કહે છે કે હું નવો છું. પછી આમિર ઘરમાં પહેલું પગલું ભરે છે અને કિયારાની માતા કહે છે કે જમાઈનું સ્વાગત છે.
આ પછી આમિર ફરી એક બેંકમાં દેખાય છે અને કહે છે, "સદીઓથી ચાલી આવતી પરંપરાને કેમ ચાલુ રાખીએ? તેથી જ અમે દરેક બેંકિંગ પરંપરા પર સવાલ ઉઠાવીએ છીએ. જેથી તમને શ્રેષ્ઠ સેવા મળે. આયુ બેંક પરિવર્તન હમ સે હૈ."