આમિર ખાને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થઇ હોવાથી, ફિલ્મ માટે ફીસ ન લેવાનો નિર્ણય કર્યો છે.
લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફીસ પર થઇ ફ્લોપ
આમિર ખાન નહીં લે ફિલ્મ માટે ફીસ
પ્રોડ્યુસર્સને નુકસાન ન થાય એ માટે આમિર ખાનનો નિર્ણય
લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફીસ પર થઇ ફ્લોપ
આમિર ખાન ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર લાલ સિંહ ચઢ્ઢા બનીને આવ્યા હતા. બધી જ આશાઓને તોડતા આમિર ખાનની ફિલ્મ ફેલ થઇ ગઈ છે. આમિર ખાન અને કરીના કપૂરની આ ફિલ્મની આવી સ્થિતિ થશે, એ તો કોઈએ સપનેય નહીં વિચાર્યું હોય. હવે વાત કરીએ કે ફિલ્મ ન ચાલવાને કારણે, જે નુકસાન થયું છે, તેનું શું થશે?
આમિર ખાનનો મોટો નિર્ણય
એક રીપોર્ટ અનુસાર, ફિલ્મ ન ચાલવાને કારણે થયેલા નુકસાનની જવાબદારી લેવા માટે આમિર ખાન આગળ આવ્યા છે. તેમણે પોતાની ફીસ છોડી દીધી છે. આમિર ખાને નિર્ણય કર્યો છે કે તેઓ લાલ સિંહ ચઢ્ઢા માટે પોતાની એક્ટિંગ ફીસ નહીં લે. આમ કરીને તેઓ પ્રોડ્યુસર્સને જે નુકસાન થયું છે, તેણી ભરપાઈ કરશે. રીપોએત અનુસાર, આમિર ખાન પોતાની ફીસ લે છે, તો વાયાકોમ 18 સ્ટુડિયોઝને લગભગ 100 કરોડનું નુકસાન થશે. આવામાં આમીર આગળ આવ્યા છે અને ખુદ નુકસાન વેઠવાણો નિર્ણય કર્યો છે. હવે પ્રોડ્યુસર્સને નોમિનલ મનીનું જ નુકસાન થશે.
આમિરે પોતે નુકસાન વેઠયું, પ્રોડ્યુસર્સને મળી રાહત
આમિર ખાને ફિલ્મ ફ્લોપ થવાની જવાબદારી લઇ લીધી છે. તેઓ ન ચાલે તેણી કિંમત તેમના સિવાય કોઈ અન્ય શા માટે ભોગવે. રીપોર્ટ અનુસાર, આમિરે આ ફિલ્મને ચાર વર્ષ આપ્યા હતા. પરંતુ આ ફિલ્મમાંથી એક પણ રૂપિયો કમાયા નહીં. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થઇ છે. 180 કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મે 20 દિવસમાં ૬૦ કરોડનું જ કલેક્શન કર્યું છે.