આ બંનેના એકબીજાથી અલગ થયા બાદ તેમના નજીકના મિત્ર અને અભિનેતા અમીન હાજીએ એક વાત કહી હતી.
શનિવારે એકબીજાથી છૂટા પડવાનો નિર્ણય લીધો
અમીન હાજીએ આમિર અને કિરણ સાથે લગાન ફિલ્મમાં કામ કર્યું હતું
હાલ ત્યાં "લાલ સિંહ ચઢ્ઢા" નું શૂટિંગ કરી રહયા છે
શનિવારે એકબીજાથી છૂટા પડવાનો નિર્ણય લીધો
આમિરખાન અને કિરણ રાવે બંનેએ સયુંકત રીતે શનિવારે એકબીજાથી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ બંને સાથે જ કામ કરશે અને પોતાના દીકરા આઝાદની સંભાળ પર રાખશે. આમિર અને કિરણે 2005માં લગ્ન કર્યા હતા. આ બંનેના એકબીજાથી અલગ થયા બાદ તેમના નજીકના મિત્ર અને અભિનેતા અમીન હાજીએ એક વાત કહી હતી.
અમીન હાજીએ આમિર અને કિરણ સાથે લગાન ફિલ્મમાં કામ કર્યું હતું
અમીન હાજીએ આમિર અને કિરણ સાથે લગાન ફિલ્મમાં કામ કર્યું હતું. તે આ બંનેના લગ્નમાં એક બેસ્ટ મેન તરીકે હાજર રહ્યા હતા. અમીન અને તેની પત્નીને સૌથી પહેલા આ જાણકારી મળી હતી કે આમિર અને કિરણ બંને અલગ થઈ રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીને ઇંટરવ્યૂ આપતા તેમણે આ વાત કરી હતી. તેમણે એક ખુલાસો કરતાં કહ્યું કે "અમે બંનેએ એ બંને સાથે વાત કરી પણ આ તેમનો અંતિમ નિર્ણય હતો. અમારે આ સ્વીકાર કરવાની જરૂર છે. છેવટે અમે તેમની સાથે વાત કરી કે, આ કઇંક એવું છે જેના માટે એક સાથે આવવાની જરૂર છે.
હાલ ત્યાં "લાલ સિંહ ચઢ્ઢા" નું શૂટિંગ કરી રહયા છે
અમીને વધુમાં કહ્યું કે કિરણ અને આમિર એકદમ સારા મિત્ર છે અને કારગિલમાં સાથે કામ કરી રહ્યા છે. "તે બંનેએ અમને વિશ્વાસ સાથે કહ્યું કે ભલે અમે એકબીજા પર હક કે અધિકાર નહીં રાખી શકીએ પણ તે બંને એકબીજાને મળતા રહેશે અને તે બંને વચ્ચે કઈ પણ નથી બદલાયું. તેમનો દીકરો પણ તેમની સાથે છે. અમે બંને તે બંનેને સાંત્વના આપવા ગયા હતા પણ તે બંનેએ અમને સાંત્વના આપી. મને ખુશી છે કે તે બંને પોતાનો વાયદો નિભાવી રહ્યા છે. આજે સવારે જ મને કિરણનો મેસેજ મળ્યો હતો. તેમણે કારગિલથી આમિર અને આઝાદ સાથે હોય તેવો ફોટો પણ શેર કર્યો હતો.તેઓ હાલ ત્યાં "લાલ સિંહ ચઢ્ઢા" નું શૂટિંગ કરી રહયા છે.