બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / દિલ્હી મેયરની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટીનું મોટું એલાન, શું નહીં લડે ઇલેક્શન?
Last Updated: 12:17 PM, 21 April 2025
આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મેયરની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના સંયોજક સૌરભ ભારદ્વાજે આ જાહેરાત કરી. આ સાથે ભાજપ માટે ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. .
ADVERTISEMENT
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં પણ હાર મળશે તેવો અહેસાસ થતાં AAP એ મેયરની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. દિલ્હીમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી 25 એપ્રિલના રોજ યોજાવાની છે. આજે મેયરની ચૂંટણી માટે નામાંકન માટેનો છેલ્લો દિવસ છે.
ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. સરદાર રાજા સિંહ ભાજપના મેયર અને ભગવાન યાદવ ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર છે.. હવે કેન્દ્ર અને દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી, ભાજપ MCDમાં પણ સરકાર બનાવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પરિવાર સહિત આજથી ચાર દિવસ માટે ભારતના પ્રવાસે, જાણો શું છે શિડ્યૂલ
આતિશીએ સ્વીકાર્યું કે ભારતીય જનતા પાર્ટી પાસે હવે MCDમાં બહુમતી છે, તેથી તેમનો પક્ષ ચૂંટણી લડશે નહીં. આતિશીએ કહ્યું, "મેયરની ચૂંટણી લડવા અને જીતવા માટે, અમારી પાસે કાઉન્સિલરોને ખરીદવા, તોડવા અને વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને અમે તે કરવા માંગતા નથી." અમે ઈચ્છીએ છીએ કે ભાજપ MCDમાં પણ પોતાની સરકાર બનાવે. કેન્દ્ર અને રાજ્યમાં પણ તેમની સરકાર છે. તેમને ત્રિપલ સરકાર ચલાવવાની તક મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.