આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશન પર એકત્રિત થઈ રહ્યા છે.
AAPના આગેવાનો પર હુમલાનો મામલો
વિસાવદર પોલીસે હુમલા અંગે ફરિયાદ ન લેતા ફરિયાદ
રાજ્યભરના AAPના કાર્યકર્તાઓ વિસાવદરમાં એકઠા થશે
હાલ વિસાવદર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ થયા એકઠા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશન પર એકત્રિત થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આ પોલીસ સ્ટેશનની આસપાસ ભેગા થઈ રહ્યા છે. રાજ્યભરના ખૂણે ખૂણેથી કાર્યકર્તાઓ ભેગા થવા માટે નીકળી પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રદેશ AAPના આગેવાનોએ કાર્યકર્તાઓને કર્યુ છે આહ્વાન
પાર્ટી નેતાઓ પર થયેલા હુમલાના વિરોધમાં પ્રદેશના આગેવાનોએ કાર્યકર્તાઓને ભેગા થવા માટે આહવાહન કર્યું છે. જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી ત્યાં જ ધરણાં કરવામાં આવશે. નોંધનીય છે કે અત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશનની આસપાસ ભેગા થઈ ગયા છે.
બધા વિસાવદર પહોંચો
હાલમાં જ AAP પાર્ટીમાં જોડાયેલ વિજય સુંવાળાએ વીડિયો શેર કરીને પણ કહ્યું કે આપણે બધાએ હક્ક માટે લડવું પડશે અને બધા જ કાર્યકરોને આહવાહન કરું છું કે બધા જ વિસાવદર પહોંચો.
ગુજરાતમાં બીજેપી અત્યારથી જ પોતાની હાર ભાળી ગયેલ છે.
સાથીઓ આ હુમલો ગુજરાતની લોકશાહી ઉપર છે ગુજરાતની એક એક જનતા ઉપર હુમલો છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 30, 2021
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબ સિંહે પણ ટ્વિટ કરીને કહ્યું છે કે પોલીસ સ્ટેશનની બહાર આખી રાત રામ ધૂન ચાલશે.
ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી : કેજરીવાલ
જૂનાગઢની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે જો ઈસુદાન અને મહેશભાઈ પર હુમલા થઈ રહ્યા હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ હિંસા તમારી હાર છે. લોકોને સારી સુવિધા આપીને તેમના દિલ જીતવાના કામ કરો, વિપક્ષ પર આ પ્રકારે હુમલાઓ કરીને ડરાવશો નહીં.
વિજય રૂપાણી સાથે વાત કરી : કેજરીવાલ
તે બાદ અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને FIR દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.
શું છે આખી ઘટના
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટોળું આ કાફલા પર તૂટી પડે છે અને તે બાદ કાર્યકર્તા સાથે મારામારીની સાથે સાથે ગાડીઓના કાચ પણ તૂટેલા જોઈ શકાય છે.