ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. પાર્ટી દિલ્હીના એક મોટા નેતાને ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
AAP વધુ એક દિલ્હીના નેતાને ઉતારશે ગુજરાતના ચૂંટણી જંગમાં
સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં મળી શકે છે જવાબદારી
પંજાબમાં પણ ચૂંટણી સમયે સોંપાઈ હતી જવાબદારી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી પ્રચારમાં પૂરો જોર લગાવી રહી છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટી સતત રેલીઓ અને મોટા-મોટા વાયદાઓ આપી રહી છે. હવે એવા સમાચાર છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટો દાવ રમવા જઈ રહી છે. પાર્ટી યુવા મતદારોને પાર્ટી તરફ આકર્ષવા રાઘવ ચઢ્ઢાને જવાબદારી સોંપી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી એક મોટા નેતાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ માટેના નામની જાહેરાત થવાની બાકી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ ગુજરાતમાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટી જવાબદારી આપવાનો મૂડ બનાવી લીધો છે.
પંજાબમાં સંગઠનને કર્યું હતું મજબૂત
જણાવી દઈએ કે, આ પહેલા આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને પંજાબમાં મોટી જવાબદારી સોંપી હતી. તેમને પંજાબના સહપ્રભારી બનાવવામાં આવ્યા હતા. ચઢ્ઢાએ સમગ્ર ચૂંટણી પ્રચારને પોતાના હાથમાં લીધો હતો અને પાર્ટીને અપેક્ષા કરતા વધુ સીટો જીતવામાં મોટી મદદ મળી હતી.
રાઘવ ચઢ્ઢાને મહેનતનું મળ્યું હતું ઈનામ!
એટલું જ નહીં, AAPએ પંજાબમાં રાઘવ ચઢ્ઢાને ઈનામ તેમણે કરેલી મહેનતના વખાણ પણ કર્યા હતા. પંજાબથી તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં રાઘવને પંજાબ સરકારમાં સલાહકાર કમિટીના અધ્યક્ષ (chairman of advisory committee) પણ બનાવવામાં આવ્યા હતા. આ કમિટી સરકારના કામકાજમાં સુધારો કરવા માટે ભલામણો પણ કરે છે.
રાધવને યુવાઓની વચ્ચે ઉતારવાની તૈયારી
હવે ફરી AAP રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને બીજી જવાબદારી આપવાનું વિચારી રહી છે. રાઘવ ચઢ્ઢાને યુવાનોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. તેમના વિશે એવું કહેવાય છે કે, તેઓ એક કાર્યક્ષમ રાજકારણી અને પ્રશાસક માનવામાં આવે છે. રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ આમ આદમી પાર્ટી ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો અને યુવાનોની વચ્ચે જોર-શોરથી ઉતારવાની તૈયારીમાં છે.
દિલ્હીમાં મહત્વના હોદ્દા પર કરી ચૂક્યા છે કામ
રાઘવ ચઢ્ઢા મોર્ડન સ્કૂલ, બારાખંબા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસ જેવી વિશ્વભરની ટોચની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. રાઘવ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમણે વિશ્વની કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે પણ કામ કર્યું છે. રાઘવ ચઢ્ઢા અગાઉ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારમાં નાણા મંત્રી મનીષ સિસોદિયાના નાણાકીય સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. ચઢ્ઢાને દિલ્હી સરકાર તરફથી માત્ર 1 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો.