પેપરકાંડને લઇને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. કમલમ્ ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. ત્યારે હવે કમલમમાં થયેલા ઘર્ષણ બાદ ભાજપ મહિલા નેતા દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
પેપરકાંડને લઇને AAPનું વિરોધ પ્રદર્શન
બંને પક્ષોને છુટા પાડવા પોલીસે કર્યો લાઠીચાર્જ
શ્રદ્ધા રાજપૂતે કર્યા AAP નેતા પર ગંભીર આરોપ
પેપરકાંડને લઇને ભાજપ અને AAP પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયું છે. તો કમલમ ખાતે થયેલા પ્રદર્શન બાદ હવે AAP નેતા ઇસુદાન ગઢવી પર ભાજપ મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે ગંભીર આરોપ લગાવ્યો છે. ઇસુદાને ભાજપ કાર્યાલય પર મહિલા સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લાગી રહ્યો છે. ઇસુદાન ગઢવી નશાની હાલતમાં ગેરવર્તન કર્યાનો મહિલા નેતાએ આરોપ લગાવ્યો છે. ભાજપ મહિલા નેતાએ ગાંધીનગર પોલીસમાં અરજી કરી છે.
આપ નેતાઓ નશાની હાલતમાં હતા અને મહિલા સાથે ગેરવ્યવહાર કર્યોઃ શ્રદ્ધા રાજપૂત
શ્રદ્ધા રાજપુતે કહ્યું કે, AAP નેતાઓ નશાની હાલતમાં હતા. AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. મહિલા નેતાની અરજી પર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પેપરલીક કાંડ મામલે વિરોધ કરવા કમલમ પર AAPના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિત કાર્યકરો પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, કમલમમાં આપ નેતાઓએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. તો ભાજપનાં કાર્યકરો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડતા ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઝપાઝપી અને બોલાચાલી થઇ હતી. જેના કારણે બંન્ને કાર્યકરો વચ્ચે વધી રહેલું ઘર્ષણ જોઇને પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યા, બ્લડ રિપોર્ટ આવવાનો બાકી
આપ નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યા છે. જોકે બ્લડ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. બ્લડ તપાસ માટે FSLમાં મોકલવામા આવ્યો છે.
કમલમ ખાતે AAP દ્વારા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આક્ષેપ મામલે AAP નેતા યોગેશ જાદવાણીએ કહ્યું કે, AAP નેતા કમલમ ખાતે પહોચ્યા હતા. ભાજપના નેતાઓએ આપ નેતાઓ પર જુઠ્ઠા આક્ષેપ લગાવ્યા છે. ઈસુદાન ભાઈ નશાની હાલતમાં હોય તેવા આક્ષેપ કરાયા છે. ઈસુદાનભાઈ ક્યારેય નશો કરી શકે નહીં. ગુજરાતમાં તાનાશાહીની રાજનીતિ ભાજપે કરી છે. અમારા પ્રદેશ કક્ષાઓના નેતાઓએ કમલમમાં રજૂઆત માટે પહોચ્યા હતા.
નિંદનીય હુમલોઃ CM અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં ભાજપ-આપના કાર્યકર્તા વચ્ચે થયેલ ઘમાસાણ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, નિંદનીય હુમલો, લાકડીઓ કે સરમુખત્યારશાહીથી પ્રજાના અધિકારનો અવાજ દબાવી ન શકાય
गुजरात में आम आदमी पार्टी के नेताओं और कार्यकर्ताओं पर ये बर्बरतापूर्ण हमला बेहद निंदनीय है। जनता के हक़ की आवाज़ को ऐसे किसी लाठी-डंडों या तानाशाही से नहीं दबाया जा सकता। https://t.co/GCxW4wqMfa
મહેશ સવાણીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયા તેનો વિરોધ હતો. અમારે AAPની મિટિંગ હતી તેને રોકવા તમામ બસો ડિટેન કરી. કમલમમાં જે થયું તેના CCTV ફુટેજ ભાજપ જાહેર કરે. ભાજપ આંદોલનોને કચડી નાખવા તંત્રનો ઉપયોગ કરે છે. ઇસુદાને નશો કર્યો કે નહીં તેની મેડિકલ તપાસ થશે.
ઇસુદાન ગઢવી કોઈપણ પ્રકારનો નશો કરતા નથી.
આપના હુમલા અંગે ભાજપ નેતા યજ્ઞેશ દવેનુ નિવેદન
યજ્ઞેશ દવેએ કહ્યું કે, લોકશાહીમા વિરોધ કરવો જોઇએ. વિરોધ કરવા માટે પણ ગરિમા જાળવવી જોઇએ. આજે આપના આસમાજિક તત્ત્વોએ ગેરવર્તુક કરી છે. આપ લોકશાહી ખોટી વાતો કરે છે. કોઇના પ્રાઇવેટ પ્રોપટીમા ઘુસીને વિરોધ કરવો અયોગ્ય છે. આ પ્રકારનો વિરોધ આપ શું સાબિત કરવા માંગે છે? આપ આ પ્રકારના વર્તણ ગુજરાત જનતા જવાબ આપશે.
આપના નેતાઓએ કમલમનો કર્યો હતો ઘેરાવો
AAPના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હાત અને ભારે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેમાં આપના કેટકાલ નેતાઓને ઈજા થઈ હતી.પોલીસ લાઠી ચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.જ્યારે અન્ય કેટલાક કાર્યકરોના માથા પણ ફૂટ્યાં હતા. આપના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.
ઈસુદાન, ગોપાલ ઈટાલિયા સહિતની નેતાઓની અટકાયત
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજની આ ઘટના બાદ ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
હેડ ક્લાર્કના પેપર લીક બાદ હવે કોંગ્રેસ કાંઈ પણ કાચુ કાપવા દેવા માંગતી નથી. ત્યારે આજે કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને છે, ત્યારે LRD,સચિવાલયની પરીક્ષાના પેપર લીક બાદ હેર્ડ ક્લાર્કનું પેપર ફુંટી જવું એ કૌભાંડ છે. રઘુ શર્માએ વધુમાં કહ્યું કે એકવાર પેપર લીક થવા તો સમજી શકાય ભુલ થઈ પરતું વારંવાર એકબાદ એક એમ 9 વખત પેપર પરીક્ષા પહેલા જ ફુંટી ગયા છે.
પોલીસે કાર્યવાહી કરી એટલે કેટલાકને પેટમાં દુ:ખે છે: સંઘવી
પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે વિરોધ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે કેટલાક લોકો માત્ર રાજકીય રોટલા શેકવા આવ્યા છે. પોલીસે કાર્યવાહી કરી એટલે કેટલાકને પેટમાં દુ:ખે છે.