સુરત મનપામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને 2 શિક્ષણ સમિતીના સભ્યોને અંદર ન જવા દેવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો
સુરત મનપા કચેરી બહાર કિલ્લેબંધી
મનપાની સામાન્ય સભા મળે તે પહેલાં જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આપના વિરોધ બાદ 29 સભ્યો સામે નોંધાઇ પોલીસ ફરીયાદ
સુરત મનપા કચેરી બહાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને 2 શિક્ષણ સમિતીના સભ્યોને અંદર ન જવા દેવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો. મહત્વનું છે કે, અગાઉ નગર શિક્ષણ સમિતીની સમિતીમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સાથે સભાગૃહની સંપત્તીને પણ નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ આપના તમામ કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ગુનાના કારણે પોલીસે આજે કાર્યવાહી હાથ ધરી હતી. અને તમામ કોર્પોરેટરો આજની સભામાં હાજર રહે તે, પહેલા જ અટકાયત કરીને પોલીસ મથકમાં લઈ જવાયા હતા. આપના 29 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં રાયોટિંગ અને મારામારીનો ગુનો દાખલ કરાયો હતો.
મહત્વનું છે કે, આ તરફ સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ જોવા મળ્યો હતો. AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હિન્દુ પરંપરાઓનું અપમાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છેેેેેેેેેેેેેેેેે.