ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રેમડેસિવિર ઈંજેક્શન મુદ્દે વિરોધીઓને જવાબ આપ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ ડિબેટ કરવાની ચેલેન્જનો સ્વીકાર કર્યો છે.
ગુજરાતમાં રેમડેસિવિર ઈંજેક્શન માટે પડાપડી
ભાજપ MLA સંઘવીએ સી આર પાટિલની બિરદાવ્યા
આપ આદમી પાર્ટીએ હર્ષ સંઘવીની ચેલેન્જ સ્વીકારી
શું છે આખો વિવાદ?
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યાં જાણે રેમડેસિવિર ઈંજેક્શનની અછત સર્જાઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં ઈંજેક્શનની કાળાબજારી થઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ભાજપના અધ્યક્ષ દ્વારા રેમડેસિવિર ઈંજેક્શન પર મોટી જાહેરાત કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો.
હર્ષ સંઘવીએ રેમડેસિવિર મુદ્દે વિરોધીઓ પર ઠાલવ્યો હતો આક્રોશ
ભાજપના પ્રદેશ સીઆર પાટિલે જાહેરાત કરીને ભાજપના કાર્યાલયમાંથી પાંચ હજાર ઈંજેક્શન મફત આપવામાં આવશે, આ મુદ્દે સવાલો ઊભા થતાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે એ તમે સીઆર પાટિલને જ પૂછો. આ મુદ્દે મોટો વિવાદ થતાં મજૂરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઉગ્ર થઈને વિરોધીઓને જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ મીડિયા સામે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ મફતમાં ઈંજેક્શન નથી આપતા?
આમ આદમી પાર્ટીએ સ્વીકારી ચેલેન્જ
આ મુદ્દે ગુજરાતની આમ આદમી પાર્ટી હવે હવે હર્ષ સંઘવીની સામે આવી છે અને ગુજરાત આમ આદમી પાર્ટીએ પ્રેસનોટ જાહેર કરીને કહ્યું કે ગુજરાત આપના પ્રવક્તા યોગેશ જાદવાણી ચેલેન્જનો સ્વીકાર કરવા તૈયાર છે અને હર્ષ સંઘવી ડિબેટનું સ્થળ, સમય અને તારીખ જાહેર કરીને સ્થળ પર આવી જાય.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 11, 2021
ગુજરાતમાં રેમડેસિવિર મુદ્દે ઊભા થતાં સવાલ
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને કોરોના વાયરસના દરરોજના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રેમડેસિવિર ઈંજેક્શન માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લોકો કલાકો સુધી લાંબી લાંબી કતારોમાં ઊભા રહે છતાં ઈંજેક્શન મળી નથી રહ્યા.
રાજ્યમાં આવા કેટલા લોકો કરી રહ્યા હશે કાળાબજારી
રાજ્યમાં ઈંજેક્શનના નામે કલાબજારી ચાલી રહી છે અને મહામારીમાં પણ દલાલો વેપલો ચલાવી રહ્યા છે. રાજ્યમાં કાળાબજારી કરી રહેલા લોકોનો ખુલાસો VTVએ સ્ટિંગ ઓપરેશન કરીને આવા દલાલોને કેમેરાની સામે રંગે હાથ ઝડપી પાડયા છે ત્યારે સવાલ થાય છે કે રાજ્યમાં આવા કેટલા લોકો ઈંજેક્શનના નામે ધંધો કરી રહ્યા હશે અને સરકાર આ બધુ જોઈ રહી છે તો શું કરી રહી છે?
ઈંજેક્શન આવે છે તો જાય છે ક્યાં? : HC
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ પર હવે ગુજરાત હાઇકોર્ટ મેદાનમાં આવી છે અને સૂઓમોટો કેસ દાખલ કરીને ગુજરાતની પરિસ્થિતિ પર સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકારથી હાઇકોર્ટે વેધક સવાલ કર્યા છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે જો 27 હજાર ઈંજેક્શન આવે છે તો જાય છે ક્યાં?A