ઇંદોરથી ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય જેલમાંથી બહાર આવી ગયા છે.
ઇંદોર નગર નિગમના અધિકારીને બેટથી ફટકારનાર આરોપી આકાય વિજયવર્ગીયને શનિવારે કોર્ટમાં જામીન મળ્યા હતા. શનિવારે જેલની કાયદાકીય પ્રક્રિયા પૂરી ના થવાને કારણે આકાશ વિજયવર્ગીય જેલમાંથી બહાર આવી શક્યા ન હતા.
Indore: BJP MLA Akash Vijayvargiya who was granted bail by Bhopal's Special Court yesterday,released from jail. He was arrested for thrashing a Municipal Corporation officer with a cricket bat on June 26. #MadhyaPradeshpic.twitter.com/AvPb1HsWhP
રવિવારે સવારે તમામ કાર્યવાહી પૂરી થતા તેઓ બહાર આવ્યા. મધ્યપ્રદેશના ભાજપના મોટા નેતા કૈલાશ વિજયવર્ગીયના દિકરા આકાશ વિજયવર્ગીયએ જેલમાંથી છૂટીને કહ્યુ કે,''જેલમાં સારો સમય પસાર થયો.'' આકાશ વિજવયર્ગીયએ જણાવ્યુ કે, તેઓ પોતાના ક્ષેત્ર તથા સ્થાનિકો માટે સારુ કામ કરતા રહેશે.
તમને જણાવી દઇએ કે, આકાશ વિજયવર્ગીયને ભોપાલની વિશેષ કોર્ટમાંથી જામીન મળ્યા છે. 26 જૂન ઇંદોર નગર નિગમના અધિકારીને બેટથી ફટાકારવાના મામલામાં તેમના પર કેસ થયો અને 14 દિવસ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
આકાશ વિજયવર્ગીયના જામીન અરજી જ્યારે ઇંદોર કોર્ટમાં પહોંચી ત્યારે કોર્ટે ખારિજ કરી દીધી. ત્યારે ઇંદોર કોર્ટે કહ્યુ કે, ''આ મામલો ધારાસભ્યથી જોડાયેલો છે, આ માટે તેની સુનવણી કરવું અમારા ક્ષેત્રાધિકારમાં નથી.'' કોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ કે, ''આ કેસની સુનાવણી ધારાસભ્યો અને સાંસદો માટે બનેલા ભોપાલ વિશેષ કોર્ટમાં કરવામાં આવે.'' જે પછી વિજયવર્ગીય પોતાના વકીલ સાથે અરજી લઇને ભોપાલ પહોંચ્યા. ભોપાલ કોર્ટે શુક્રવારે ઇંદોર કેસથી જોડાયેલા દસ્તાવેજો માંગવવાનો આદેશ આપીને શનિવારને કેસની સુનવણી કરવાનો સમય માંગ્યો. શનિવારે ભોપાલમાં જજ સુરેશ સિંહે બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી આકાશ વિજયવર્ગીયને 20-20 હજાર રૂપિયાન બોન્ડ પર બેલ આપી.