શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં પૃથ્વી શૉએ માત્ર 24 બોલ પર જ 43 રન ફટકારીને ભારતને ધમાકેદાર શરૂઆત અપાવી હતી.
પૃથ્વી શૉની થઈ સમગ્ર વિશ્વમાં પ્રશંશા
સમગ્ર ભારતમાં શૉ જેવો બેટ્સમેન નથી
પ્રથમ મેચમાં શૉ મેન ઓફ ધ મેચ બન્યો હતો
પૃથ્વી શૉ ખૂબ જ સારા ફોર્મમાં છે
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પૃથ્વી શૉની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી પરંતુ શૉએ ટીકાકારોને યોગ્ય જવાબ પોતાની બેટિંગથી વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ રન ફટકારીને આપ્યો હતો ત્યારબાદ શૉએ પોતાનું ફોર્મ IPLમાં પણ જાળવી રાખીને દિલ્હીને લગભગ બધી જ મેચમાં તાબડતોડ શરૂઆત અપાવી હતી. પૃથ્વી શૉના આ ફોર્મના લીધે જ તેનું સિલેક્શન શ્રીલંકા સામેની મૅચમાં થયું હતું.
શ્રીલંકા સામેની ઇનિંગ જોઈને ભારતના પૂર્વ ખેલાડી અને દિગ્ગજ કોમેન્ટેટર આકાશ ચોપરાએ શૉની ખૂબ જ પ્રશંશા કરી છે. આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે,"મને લાગતું હતું કે, શરૂઆતમાં મેચમાં શ્રીલંકા ભારત પર ભારી પડશે પરંતુ શૉએ ક્રિઝ ઉપર આવતાની સાથે જ પોતાની આક્રમક બેટિંગથી પોતાના દમ પર જ મેચ ભારત તરફ કરી દીધી હતી". આકાશ ચોપરાએ પૃથ્વી શૉની પ્રશંસા માં એવું પણ કહી દીધું કે તે બીજા ગ્રહથી આવેલો છે અને શૉ જેવો બેટ્સમેન સમગ્ર ભારતમાં નથી.
વીરેન્દ્ર સેહવાગ કરતાં પણ સારો ખેલાડી છે શૉ
આકાશ ચોપરાએ પૃથ્વી શૉને ભારતના પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ સાથે સરખાવતા કહ્યું કે, સેહવાગ પણ આ રીતે જ ભારતને આક્રમક શરૂઆત અપાવતો હતો પરંતુ પૃથ્વી શૉ સેહવાગ કરતાં પણ આગળ છે કેમ કે, શૉ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વિના ફક્ત ગેપમાં શૉટ મારીને આક્રમક બેટિંગ કરે છે કે જે અવિશ્વસનીય છે. શૉ હજી યંગ બેટ્સમેન છે અને તેની સેહવાગ જેવા ખેલાડી સાથે સરખામણી કરવી આ બાબત દર્શાવે છે કે, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સલામત હાથોમાં છે.
આકાશ ચોપરાએ પૃથ્વી શૉના આઉટ થવા પર કહ્યું કે, શૉએ પોતાની વિકેટની કિમત સમજવી જોઈએ. તે આરામથી 140 રન બનાવી શકતો હતો પરંતુ ખરાબ શૉટ મારીને માત્ર 43 રન પર આઉટ થઈ ગયો. કોઈપણ યુવા ખેલાડીમાં જ્યારે ઇનિંગની શરૂઆત સારી થાય તો તે ઇનિંગને મોટા સ્કોર સુધી લઈ જવાની આવડત હોવી જોઈએ. પ્રથમ મેચમાં પૃથ્વી શૉને મેન ઓફ ધ મેચનું ખિતાબ આપવામાં આવ્યું હતું. પોતાના આઉટ થવા પર શૉએ જણાવ્યું કે, માથા પર બોલ વાગ્યો હતો ત્યારે તેની એકાગ્રતામાં ભંગ થયો હતો અને ખોટો શૉટ મારીને આઉટ થઈ ગયો હતો.