ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને પગલે રાજકારણ ગરમાયું છે.જો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા આજે તેમણે નિવેદન આપ્યું હતું કે તેમના પરિવાર પર કીચડ ઉછાડવાનું કામ થઇ રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના મોતને પગલે રાજકારણ ગરમાયું
આદિત્ય ઠાકરેનું નિવેદન, મારા પરિવાર પર કીચડ ઉછાડવામાં આવી રહ્યું છે
એક પત્રમાં તેણે સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે કોઇ જ સંબંધ નથી. આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે, સુશાંત કેસમાં રાજનીતિ થઇ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બોલીવૂડ મુંબઇનો એક મહત્વનો હિસ્સો છે અને ઘણા બધા લોકો તેના પણ નિર્ભર છે. જો કે, તેમણે એમપણ સ્વીકાર્યું હતું કે, બોલીવૂડના કેટલાય અભિનેતાઓ સાથે સારા સંબંધો છે અને તે કોઇ ગુનો નથી.
આદિત્ય ઠાકરેનું નિવેદન
પોતાના નિવેદનમાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે 'બાલાસાહેબ ઠાકરેના પૌત્ર તરીકે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મહારાષ્ટ્ર, શિવસેના અને ઠાકરે પરિવારનું ગૌરવ ઉતારનારા એવા કોઈ પણ મામલામાં હું સામેલ થઈશ નહીં.
People are doing mud slinging on me personally and members of the Thackeray family.... I have no connection with #SushantSinghRajput's death in any manner. This is politics over someone's death: Maharashtra Minister Aaditya Thackeray in a statement pic.twitter.com/jYv6Wj1Zfm
આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુનો મામલો હવે બે રાજ્ય અને રાજકીયપક્ષોની રસ્સાકસીનો બની ગયો છે. બિહારના સીએમ નીતીશ કુમાર તરફથી સુશાંત સિંહ કેસને સીબીઆઇ તપાસ કરાવાની ભલામણ કરી છે. ત્યારે શિવસેનાએ તેમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
વારંવાર સીબીઆઇ તપાસની માગ ઉઠી રહી છે
શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે મુંબઇ પોલીસ પ્રતિષ્ઠિત પોલીસ છે ત્યારે આ મામલે કેમ વારંવાર સીબીઆઇ તપાસની માગ ઉઠે છે. કોઇ પણ મામલામાં બિહાર પોલીસ મુંબઇ આવી અને જાણકારી લઇ શકે છે પરંતુ તપાસ નથી કરી શકતી અને જો તમે સમાંતર તપાસ કરશો તે આ મુંબઇ પોલીસ સાથે અન્યાય હશે.
આ પહેલા બિહારના સીએમ નીતીશ કુમારે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહની એફઆઇઆરના આધાર પર સીબીઆઇ તપાસની ભલામણ મોકલી દીધી છે. તો એલજેપીના ચિરાગ પાસવાને પણ સીએમ નીતીશ કુમાર સાથે સીબીઆઇ તપાસની માગ કરી હતી. ત્યારે તેમના નિર્ણયને આવકાર્યો છે.