સરકારે કલ્યાણ યોજનાઓ સિવાય અન્ય વસ્તુઓમાં પણ આધારનો ઉપયોગ શરૂ કરવા માટે નોટિફિકેશન જારી કર્યું છે. એક રિપોર્ટ મુજબ સરકારી અધિકારીઓએ કહ્યું છે કે, હવે કૃષિ, શિક્ષણ અને આરોગ્ય યોજનાઓમાં આધારનો ઉપયોગ થઈ શકે છે. હવે ટૂંક સમયમાં તેને હેલ્થ આઈડી કાર્ડ સાથે લિંક કરી શકાશે. ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાશે.
આધારના ઉપયોગનો વ્યાપ વધ્યો
હવે તેને હેલ્થ આઈડી કાર્ડ સાથે લિંક કરી શકાશે
ષિ, શિક્ષણ અને આરોગ્ય યોજનાઓમાં આધારનો ઉપયોગ થઈ શકશે
વેલફેર સ્કીમ્સ સિવાય આ વસ્તુઓમાં પણ આધારનો ઉપયોગ કરી શકાશે
અધિકારીઓનું કહેવું છે કે, અત્યાર સુધી કલ્યાણકારી યોજનાઓમાં લીકેજ રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે અન્ય સ્કીમોમાં છેતરપિંડી રોકવા માટે પણ તેનો ઉપયોગ કરાશે. અધિકારીઓ મુજબ હવે ટૂંક સમયમાં એગ્રીકલ્ચર, એજ્યુકેશન અને હેલ્થ સ્કીમોમાં આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે.
આનાથી છેતરપિંડી પર લગામ લાગશે. બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે સરકારની સબસિડી યોજનાઓના લાભાર્થીઓની ઓળખ માટે આધારનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો હતો. કોર્ટે તેને આવકવેરા રીટર્ન ભરવામાં પણ ફરજિયાત બનાવ્યું હતું. આ સાથે જ તેને પાનકાર્ડ સાથે લિંક કરવું જરૂરી બનાવ્યું હતું.
સરકારે બુધવારે આધાર ઓથેન્ટિકેશન ફોર ગુડ ગવર્નેન્સ (સોશિયલ વેલફેર, ઈનોવેશન, નોલેજ) રૂલ્સ, 2020 નોટિફાઈ કર્યું છે. નવા નિયમો અનુસાર, કોઈપણ સરકારી વિભાગ પોતાની સ્કીમોને આધાર સાથે લિંક કરી શકે છે. આનો ઉપયોગ વેરિફિકેશન માટે કરી શકાય છે. દેશની અંદર અનેક સેવાઓની સુવિધા મેળવવા માટે આધારકાર્ડ હોવું જરૂરી બન્યું છે. તે જારી કરનાર સંસ્થા યુઆઇડીએઆઇ દ્વારા આપવામાં આવેલી માન્યતાના આધારે ઓળખ કાર્ડ તરીકે પણ તેનો ઉપયોગમાં લેવાય છે.