આધાર સેવા કેન્દ્ર હવે અઠવાડિયામાં સાત દિવસ ખુલ્લુ રહેશે. લોકોની સતત વધી રહેલી ભીડને જોતા (UIDAI) ના આ કેન્દ્રોને સાત દિવસ સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આધાર કાર્ડને લઇ નહીં ખાવા પડે ધક્કા
અઠવાડિયામાં સાત દિવસ સુધી ખુલ્લા રહેશે આધાર સેવા કેન્દ્ર
UIDAI એ ટ્વીટ કરીને જણાવ્યો નિર્ણય
આ પહેલા આધાર સેવા કેન્દ્ર મંગળવારના રોજ બંધ રહેતા હતા. જો કે, UIDAI દ્વારા ટ્વીટ કર્યું હતું કે, UIDAI દ્વારા સંચાલિત આધાર સેવા કેન્દ્ર હવે સાતેય દિવસ ખુલ્લા રાખવામાં આવશે. નોંધનીય છે કે, આ કેન્દ્રોની રોજની ક્ષમતા 100 આધાર એનરોલમેન્ટ અથવા રિક્વેસ્ટ્સ અપડેટ કરવાની છે.
કઇ-કઇ સુવિધાઓ ઉપલબ્ધ છે આધાર કેન્દ્રો પર ?
પાસપોર્ટ સેવા કેન્દ્રના પેટર્નવાળા આધાર કેન્દ્રો પર તમે ઓનલાઇન એપોઇમેન્ટ લઇ શકો છો. આધાર કેન્દ્રમાં નવા આધાર કાર્ડ માટ એપ્લાય અથવા એનરોલ સિવાય તમે UIDAI ડેટાબેઝમાં નામ, એડ્રેસ, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી, ડેટ ઓફ બર્થ, લિંગ તથા બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ અને આઇરિસ)ને બદલી શકો છો.
નજીકના આધાર સેન્ટર પર કેવી રીતે બુક કરાવવી અપોઇમેન્ટ ?
UIDAI ની વેબસાઇ મુજબ, વર્તમાન સમયમાં ઓછીમાં ઓછા 19 ફંક્શનલ આધાર સેવા કેન્દ્ર છે. આધાર જાહેર કરનારી સંસ્થા વર્ષ 2019 ના અંત સુધીમાં 53 શહેરોમાં 114 એવા કેન્દ્ર બનાવવાની યોજના બનાવવામાં આવી છે.
નજીકના આધાર સેન્ટર પર કેવી રીતે એપોઇન્ટમેન્ટ બુક કરશો ?
યુઆઈડીએઆઈ દ્વારા સંચાલિત તમારું નજીકનું આધાર સેવા કેન્દ્ર શોધવા માટે અથવા એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે, તમારે યુઆઈડીએઆઈના પોર્ટલ પર 'એપોઇન્ટમેન્ટ બુક' પેજ પૃષ્ઠની મુલાકાત લેવાની જરૂર છે. તેના ડ્રોપડાઉન મેનૂમાં તે સ્થાનોના નામ છે જ્યાં આધાર સેવા કેન્દ્રો કાર્યરત છે.
UIDAI-run #AadhaarSevaKendra now open all 7 days.
These centres have capacity to service up to 1000 Aadhaar enrolment or update requests per day. Visit an #ASK today to experience Aadhaar services in a state-of-the-art environment. Book appointment from: https://t.co/QFcNEqehlPpic.twitter.com/2JflucB90W
આ શહેરો દિલ્હી, પટણા, બેંગલુરુ, હૈદરાબાદ, આગ્રા, ચેન્નાઇ, હિસાર, ચંદીગઢ, લખનઉ, વિજયવાડા, ભોપાલ, દહેરાદૂન, રાંચી, ગુવાહાટી, મૈસુર તથા જયપુરનો સમાવેશ થાય છે. આપ આપની પસંદગીનું એક સેન્ટર પસંદ કરીને પોતાનો મોબાઇલ નંબર આપી એપોઇન્ટમેન્ટ બુક કરીને તમારે તમારો આધાર નંબર આપવાનો રહેશે.
આપના નજીકના વિસ્તારમાં આધાર કેન્દ્ર ન હોય તો ?
યુઆઇડીએઆઇ ધીમે ધીમે દેશભરમાં આધાર સેવા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરી રહી છે. જો તમારા ઘરની નજીક કોઈ આધાર કેન્દ્ર નથી, તો પછી તમે બેંકો, પોસ્ટ ઓફિસ, બીએસએનએલ કસ્ટમ સેન્ટરો અને રાજ્ય સરકાર દ્વારા પસંદ કરેલા ઓફિસોમાં ચાલતા આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.
આ રીતે આધાર કેન્દ્રનું સરનામું મેળવવા માટે તમારે UIDAI ના પોર્ટલ પર લોકેટ એન એનરોલમેન્ટ સેન્ટર પર જઇને પોતાના રાજ્ય, નામ, કોડ અથવા પોતાની લોકેલિટી, સીટી અથવા જિલ્લા અંગેની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.