તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવી દેવું જોઈએ. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખો.
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરો.
લિંક કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખો.
આ બાબતોનું ધ્યાન ના રાખવાથી સાઈબર ફ્રોડનો થશો શિકાર.
સરકાર વારંવાર પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સલાહ આપી રહી છે. જે માટે ડેડલાઈન 30 જૂન સુધી વધારી દેવામાં આવે છે. તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવી દેવું જોઈએ. ઓનલાઈન પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે, નહીંતર તમારી સાથે ઠગાઈ થઈ શકે છે.
આ પ્રકારના મામલાઓમાં સાઈબર ફ્રોડ્સ એક્ટીવ રહે છે અને તમામ એક્ટિવિટી ટ્રેક કરવામાં આવે છે. પંચકુલામાં રિટાયર્ડ બેન્કર સાથે પણ આ પ્રકારે જ થયું છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરતા સમયે ખોટી લિંક પર ક્લિક કરી દીધું હતું. આ પ્રકારે તેમના એકાઉન્ટમાંથી 8 લાખની ઉઠાંતરી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
જાણો સમગ્ર મામલો
પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર રિટાયર્ડ બેન્કરને એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, તેમનું SBI એકાઉન્ટ બંધ થઈ ગયું છે. આ મેસેજમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ના હોવાથી SBI એકાઉન્ટ બંધ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. એકાઉન્ટનો ફરીથી ઉપયોગ કરવો છે તો આ લિંક પર ક્લિક કરીને પાન કાર્ડ લિંક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ લિંક પર ક્લિક કરતા જ તેમની ડિટેઈલ્સ હેકર પાસે પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમના એકાઉન્ટમાંથી 8.27 લાખની ઉઠાંતરી કરવામાં આવી હતી.
આ પ્રકારે સાઈબર ફ્રોડથી બચો
અજાણી લિંક પર ક્લિક ના કરશો
જો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું હોય તો રજિસ્ટર્ડ સાઈટ્સ અને એજન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.
અજાણ્યા વ્યક્તિ સાથે OTP અને અંગત માહિતી શેર ના કરો.