બેંક અને અન્ય ફિનટેક કંપનીઓ Aadhaar card QR codeને આધારે ગ્રાહકોનાં ખાતા ખોલી શકશે. કેન્દ્ર સરકાર ભારતીય રિઝર્વ બેંક અને UIDAIમાં આ વાતને માટે જલ્દી જ સહમિત બનવાનાં આસાર છે. જેનાંથી ઓફલાઇન Adhaar Cardનાં પ્રયોગે ટૂંક સમયમાં જ મંજૂરી મળી શકે છે.
સુપ્રિમ કોર્ટનાં ચુકાદા બાદથી આધાર કાર્ડનો પ્રયોગ એ બેંકો ફિનટેક કંપનીઓ વીમા અને મોબાઇલ વોલેટને માટે અનિવાર્ય નથી રહેલ. આનાંથી કંપનીઓ પહેલાંની જેમ ઇ-કેવાઇસીને માટે આધારનો પ્રયોગ ન હોતી કરી શકતી. હવે જો વાતચીત સફળ થઇ તો પછી ઓફલાઇન આધારનો પ્રયોગ કરવાનું શક્ય બની જશે.
આ રીતે કરાશે ઉપયોગઃ
આધાર કાર્ડ પર લાગેલ ક્યૂઆર કોડને સ્કેન કરીને તમામ ડિટેલ્સ નીકળી શકે છે. આ ડિટેલ્સને યૂઆઇડીએઆઇ દ્વારા ડિઝિટલ સાઇન કરવામાં આવશે જ્યાર બાદ આ પણ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વોટર આઇડીની જેમ ભરોસાપાત્ર થઇ જશે. આ સાથે જ પાસપોર્ટ ઓફિસ અને બેંકોને આમાં વધારે સુવિધા પણ થઇ જશે.
QR Codeથી મળશે માત્ર આ જાણકારીઃ
કોઇ પણ બેંક અથવા તો પછી ફિનટેક કંપનીને વ્યક્તિનો QR Code સ્કેન કર્યા બાદ માત્ર નામ ફોટોગ્રાફ અને એડ્રેસની જાણકારી જ મળી શકશે. આધારમાં લેવામાં આવેલી જાણકારી તમામ ખાનગી રહેશે જેનાંથી છેડછાડ ના થઇ શકે. આને આધારે વ્યક્તિનો મોબાઇલ નંબર પણ કોઇને પણ ખ્યાલ નહીં આવે.