યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ ધારકોની સગવડ માટે કોઈ પુરાવા વિના એડ્રેસ ચેન્જ કરવાની રાહત આપી હતી. પણ હવે UIDAIએ ફેરફાર કર્યા છે.
આધાર ધારકો માટે કામના સમાચાર
UIDAI હવે આ સુવિધા બંધ કરી દીધી
હવે તમામ નાગરિકોએ પોતાનું સરનામું બદલવા કરવું પડશે આ કામ
ઓથોરિટીએ ટ્વિટ કરીને જણાવ્યું કે હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. UIDAIએ ટ્વિટ કર્યું હતું કે એડ્રેસ વેલિડેશન લેટર સુવિધા આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી રહી છે. જેથી હવે તમામ નાગરિકોએ પોતાનું સરનામું બદલવા માટે અગાઉ આપેલી યાદીમાં કોઈપણ એક દસ્તાવેજ આપવો પડશે.
UIDAI અનુસાર આ સુવિધા બંધ થવાથી એ લોકોને પરેશાની થશે જેમની પાસે સરનામું અપડેટ કરવા માટે કોઈ દસ્તાવેજ નથી. એ પણ કહ્યું કે તમે તમારા આધાર કાર્ડમાં એડ્રેસને પ્રૂફ દ્વારા ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે અપડેટ કરી શકો છો. ઓનલાઇન એડ્રેસ અપડેટ માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ ssup.uidai.gov.in/ssup/ પર જવું પડશે. ચાલો જાણી લો ઓનલાઈન કઈ રીતે એડ્રેસ અપડેટ કરવું.
આ રીતે કરો ઓનલાઈન અરજી
UIDAI વેબસાઇટ પર જાઓ અને '‘Proceed to Update Aadhaar’ પર ક્લિક કરો.
આ પછી તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી સુરક્ષા કોડ અથવા કેપ્ચા કોડ દાખલ કરો.
એ પછી સેન્ડ ઓટીપી ઓપ્શન સિલેક્ટ કરો.
તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તે દાખલ કરો.
પછી લોગિન પર ક્લિક કરો.
લોગિન કરતી વખતે તમારા આધારની ડિટેલ્સ સ્ક્રીન પર દેખાશે.
પછી તેમાં એડ્રસ બદલી ગો અને આપેલા 32 દસ્તાવેજોમાંથી કોઈપણ એકની સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને સબમિટ કરો.