મોદી સરકારે પેન્શન મેળવનારા રિટાયર્ડ કર્મચારીને મોટી રાહત આપી છે. નવા નિયમ અનુસાર હવે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડ જરૂરી નહીં રહે.
પેન્શનર્સને મોટી રાહત
મોદી સરકારનો નવો નિયમ
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડ જરૂરી નહીં
પેન્શનર્સે દર વર્ષની શરૂઆતમાં જીવન પ્રમાણ પત્રને માટે ભાગદોડ કરવી પડતી હોય છે. અને એ મુશ્કેલી ત્યારે વધે છે જ્યારે પેન્શનરના આધાર કાર્ડમાં આપવામાં આવેલી બાયોમેટ્રિક જાણકારી અપડેટ ન હો કે કોઈ ટેકનિકલ ખામી સામે આવી રહી હોય. હવે પેન્શનર્સને આ તકલીફ રહેશે નહીં કેમકે મોદી સરકાર નિયમોમાં થોડી ઢીલ આપી રહી છે.
બદલાઈ ગયા છે નિયમ
નવા નિયમને લઈને મોદી સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશનના આધારે જીવન પ્રમાણપત્ર (Life Certificate) ને માટે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવી છે. અનિવાર્યને બદલે તેને સ્વૈચ્છિક કરાયું છે. તેનો અર્થ એ કે પેન્શનર્સ ઈચ્છે તો તેની જાણકારી આપી શકે છે નહીં તો નહીં. આ નિયમ સ્વૈચ્છિક રીતે પેન્શનર્સને માટે મોટી સમસ્યાનું સમાધાન છે.
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટથી મળી સુવિધા
પેન્શનર્સને લાઈફ સર્ટિફિકેટની જરૂર દર વર્ષે રહે છે. તેમને આ લેટર આપ્યા બાદ જ પેન્શન મળે છે. ડિજિટલ રીતે તેને જાહેર કર્યા બાદ પેન્શનર્સને અનેક સુવિધા મળી છે. પણ સાથે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ થતા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મળવાનું સરળ બન્યું છે.
Sandes માટે પણ જરૂરી નહીં રહે આધાર
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના સિવાય સરકારી ઓફિસમાં હાજરી ભરવા માટે તેને અનિવાર્ય કરાયેલા એપ સંદેશ માટે પણ આધાર વેરિફિકેશન અનિવાર્યને બદલે સ્વૈચ્છિક કરાયું છે. હવે સરકારી કર્મચારીઓને Sandes ની મદદથી જ હાજરી ભરવાની રહેશે.