જો તમને પણ પોતાના આધારમાં મોબાઈ નંબર અપડેટ કરાવવો છે તો હવે તમારે ક્યાય જવાની જરૂર નથી. UIDAIએ Aadhaar Cardમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાને લઈને નવી સુવિધા શરૂ કરી છે. હવે પોસ્ટમેન ઘરે આવીને પોતાના મોબાઈલ નંબરને અપડેટ કરી આપશે. આ સુવિધા માટે UIDAIએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની સાથે કરાર કર્યો છે. જેનાથી યુઝર્સને ઘરે બેઠા નંબર અપડેટ કરવાની સુવિધા મળી જશે.
આ સુવિધા તમને 650 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક અને 1.46 લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવાઓ દ્વારા આપવામાં આવી રહી છે. મંગળવારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના MDએ આ વિશે જાણકારી આપી હતી.
જાહેર કર્યું નિવેદન
IPPBના MD અને મુખ્ય કાર્યકારી અધિકારી જે વેન્કટરામૂએ એક નિવેદનમાં જણાવ્યું કે, UIDAIના મોબાઈલ અપડેટ સર્વિસને પોસ્ટ ઓફિસના નેટવર્ક, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવાઓ દ્વારા ઉપલબ્ધ કરવવામાં આવશે. તેમાં એ ક્ષેત્રો સુધી મદદ પહોંચાડવામાં આવશે. જ્યાં અત્યાર સુધી બેન્કિંગ સેવા નથી પહોંચી અને સાથે જ ડિજિટલ ડિવાઈસની અછતને પણ ઓછી કરવામાં મદદ મળશે.
હાલ મળી રહી છે ફક્ત મોબાઈલ નંબર અપડેટની સુવિધા
આ સુવિધાની શરૂઆતમાં IPPB ફક્ત મોબાઈલ નંબર અપડેટ કરાવવાની સુવિધા આપી રહ્યું છે. પરંતુ ટૂંક સમયમાં જ સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી શકે છે. 31 માર્ચ, 2021 સુધી યૂઆઈડીએઆઈએ ભારતના નિવાસીઓને 128.99 કરોડ આધાર નંબર જાહેર કરવામાં આવ્યા છે.
આધારને મોબાઈલ સાથે આ રીતે કરો લિંક
મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને જો તમે આધાર સાથે લિંક કરવા માંગો છો તો તેના માટે તમારે સેન્ટર જવાનું રહેશે. ઓનલાઈન તમે લિંક નહીં કરી શકો. તેને લિંક કરવા માટે કોઈ પણ ભૂ પ્રકારના કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. તેના માટે તમારે બાયોમેટ્રિક ઓર્થેટિકેશન જરૂર કરાવવાનું રહેશે.