સરકારે પેન્શન લેનાર સિનીયર સિટીઝન માટે ડિજીટલ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે.
હવે આ કામ માટે આધાર નહી જરૂરી
સરકારે કર્યુ મોટુ એલાન
પેન્શનરોને મળશે મોટી સહાય
સરકારે સામાજીક કલ્યાણ, ઇનોવેશન રેગ્યુલેશન 2020 હેઠળ પોતાની ઇન્સન્ટ સમાધાનવાળી ઍપ સંદેશ અને સાર્વજનીક ઓફિસમાં એટેન્ડન્સ માટે આધાર ઓથેન્ટિકેશનને ઓપ્શનલ કરી દેવામાં આવ્યુ છે.
NICએ આપ્યો આદેશ
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચનામાં કહ્યું છે કે જીવન પ્રમાણપત્ર માટે આધારની ઓથેન્ટીકેશન ઓપશ્નલ હશે અને તેનો ઉપયોગ કરનારપ સંગઠનોને પણ પ્રમાણપત્ર આપવા માટે બીજા ઓપ્શન શોધી લેવા જોઇએ. આ મામલે NICએ આધાર કાયદો 2016, આધાર રેગ્યુલેશન 2016, ઓફીસ મેમોરેન્ડમ અને UIDAI દ્વારા સમય સમય પર જાહેર કરેલા સર્ક્યુલર અને દિશાનિર્દેશોનું પાલન કરવાનુ રહેશે.
પેન્શનરોને આ હેઠળ મળશે સહાય
પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રની શરૂઆત ત્યારે કરવામાં આવી જ્યારે વૉદ્ધ લોકો પેન્શન લેવા માટે પોતાના જીવતા હોવાની સાબિતી માટે લાંબી યાત્રા કરીને પેન્શન આપનાર એજન્સી સામે ઉપસ્થિત રહેતા હતા. અથવા તો પછી જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી તેમને જીવતા હોવાનુ પ્રમાણપત્ર લાવવુ પડતુ હતુ અને બાદમાં પેન્શન આપનાર કંપનીમાં જમા કરાવવાનુ હોતુ. હવે આ બધામાંથી તેમને મુક્તિ મળી ગઇ છે.
સરકારને કેમ લેવો પડ્યો નિર્ણય ?
પેન્શનર્સે આ મામલે ફરિયાદ કરી છે કે આધાર કાર્ડ નહી હોવા પર તેમને પેન્શન મળવામાં તકલીફ ઉઠાવવી પડે છે અથવા તેમના અંગૂઠાનુ નિશાન મેળ નથી ખાતુ. તેના માટે કેટલાક સરકારી સંગઠનોએ જ્યાં 2018માં વૈકલ્પિક રસ્તો કાઢ્યો હતો. હવે આધારકાર્ડને ઓપ્શનલ કરી દેવામાં આવ્યો છે.