વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે જેમાં UIDAI દ્વારા કહેવાયું છે કે વેક્સીન માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી. આધારકાર્ડ ન હોય તો પણ વેક્સીન લઇ શકાશે.
વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે મહત્વના સમાચાર
વેક્સિન માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી: UIDAI
આધારકાર્ડ ન હોય તો પણ વેક્સિન લઇ શકો છો: UIDAI
કોરોનાની બીજી લહેર વચ્ચે અનેક ફરિયાદો મળી કે આધાર કાર્ડ ન હોવાથી હોસ્પિટલમાં સારવાર ન આપવામાં આવી. જેના કારણે ઘણા લોકો આવશ્યક સેવાથી વંચિત રહ્યાં. આધાર કાર્ડના દુર ઉપયોગને લઇને પણ UIDAIએ ચેતવણી આપી છે. તેઓએ કહ્યું છે કે આધાર કાર્ડ ન હોય તો કોઇને વેક્સીન કે જરૂરી સેવા આપવામાં મનાઇ ન કરી શકાય. આધારનું ઓનલાઇન વેરિફાઇ કર્યા બાદ જરૂરી સેવા આપી શકાય છે. જો કોઈ પણ જગ્યાએ આધાર ન હોવાને કારણે કોઇ આવશ્યક સેવાનો લાભ આપવાનો ઇન્કાર કરશે તો જે તે વિભાગના અધિકારીને ફરિયાદ કરીને કાર્યવાહી કરાશે.
આધાર કાર્ડ ન હોવાથી કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાતા નથી.
કોરોના મહામારીની બીજી લહેરમાં લડી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આધાર કાર્ડ ન હોવાથી કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાતા નથી અને તેમને જરૂરી સેવાઓ પણ આપવામાં આવી રહી નથી.
UIDAIએ કહ્યું કે આધાર ન હોય તો વેક્સીન લગાવવાની મનાઈ કરી શકાય નહીં
UIDAI કહ્યું કે આધારના ઉપયોગને લઈને વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેનું પાલન થવું જરૂરી છે. UIDAIએ તેના દૂરઉપયોગને લઈને ચેતવણી આપી છે અને કહ્યું કે તેના અભાવમાં વેક્સીન લગાવવા કે આવશ્યક સેવાઓ આપવાની મનાઈ કરી શકાશે નહીં.
આધાર ન હોવાથી જરૂરી સેવાઓથી વંચિત રખાશે નહીં
UIDAIએ કહ્યું કે કોઈ પણ કારણ સર કોઈ દર્દી પાસે આધાર કાર્ડ નથી તો તેને જરૂરી સેવાથી વંચિત રાખઈ શકાશે નહીં. આધારનું ઓનલાઈન સત્યાપન ન થાય તો પણ સંબંધિત વિભાગ કે એજન્સીએ સેવા આપવી પડશે.
UIDAIએ કહ્યું છે કે જો આધાર ન હોવાના કારણે કોઈ તમને જરૂરી સેવા આપવાની મનાઈ કરે છે તો તે વિભાગના અધિકારીને ફરિયાદ કરી શકાય છે. આધારનો હેતુ જરૂરી સેવાઓ મેળવવા માટે પારદર્શિતા લાવવાનો છે.